For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો લગ્ન પછી વર્ષો સાથે રહ્યા બાદ પણ કેમ થાય છે છૂટાછેડા?

છેવટે લગ્નના આટલા વર્ષો પછી છૂટાછેડા શા માટે, ચાલો જાણીએ લગ્નના આટલા વર્ષો પછી છૂટાછેડા શા માટે થાય છે. છૂટાછેડા લેવાનું કારણ શું છે?

|
Google Oneindia Gujarati News

કોઈપણ પરિણીત સંબંધ પ્રેમ અને વિશ્વાસ પર આધારિત હોય છે. ઘણી વખત પ્રેમ, ભરોસો અને સન્માન કર્યા બાદ પણ વિવાહિત સંબંધ તૂટી જાય છે. કેટલીક વખત ઈચ્છા વગર પણ સંબંધ તૂટી જાય છે. કોઈપણ યુગલ જીવનભર સાથે રહેવા માટે લગ્ન કરે છે. લગ્નની શરૂઆતમાં કોઈ પણ યુગલ અલગ થવાનું વિચારતું નથી. કહેવાય છે કે, લગ્નની શરૂઆત સારી હોય તો અંત પણ સારો હોય છે.

ઘણી વાર તમે તમારા વડીલો પાસેથી સાંભળ્યું જ હશે કે જો તમારું લગ્નજીવન 2 થી 3 વર્ષ સુધી ચાલે તો તમારા લગ્ન જીવનમાં કોઈ સમસ્યા નહીં આવે. તે જ સમયે લાંબા સમયથી લોકો તેમના લગ્નના 10 થી 18 વર્ષ બાદ છૂટાછેડા લઈ રહ્યા છે. લગ્નના આટલા લાંબા સમય બાદ અલગ થવું એટલું સરળ નથી હોતું.

દક્ષિણ ભારતીય પાવર કપલ ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતે લગ્નના 18 વર્ષ બાદ છૂટાછેડા લીધા છે. તેમના છૂટાછેડાના સમાચાર સાંભળીને ચાહકો ચોંકી ગયા છે. છેવટે લગ્નના આટલા વર્ષો પછી છૂટાછેડા શા માટે, ચાલો જાણીએ લગ્નના આટલા વર્ષો પછી છૂટાછેડા શા માટે થાય છે. છૂટાછેડા લેવાનું કારણ શું છે?

ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતના છૂટાછેડા પાછળનું કારણ

ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતના છૂટાછેડા પાછળનું કારણ

સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતના છૂટાછેડાના સમાચારથી બધા ચોંકી ગયા છે.

અત્યાર સુધી તેમના છૂટાછેડાનું કારણ કોઈને ખબર નથી,પરંતુ તેમના છૂટાછેડાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે.

તેમના લગ્ન તૂટવાના કારણે દરેક વ્યક્તિ અટકળો લગાવી રહી છે. ધનુષે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે,તે પત્ની ઐશ્વર્યાથી અલગ થઈ રહ્યો છે.

ધનુષ અને ઐશ્વર્યાએ લગ્નના 18 વર્ષ બાદ તેમના સંબંધોનો અંત લાવ્યો હતો. ધનુષ અને ઐશ્વર્યાને બે બાળકો છે.

જીવનસાથીની પરવા ન કરવી

જીવનસાથીની પરવા ન કરવી

લગ્ન કર્યા બાદ પણ પાર્ટનર્સ થોડા વર્ષો સુધી એકબીજાની સારી સંભાળ રાખે છે. સમય જતાં પાર્ટનર્સ એકબીજાને અવગણવા લાગે છે. આ ઇગ્નોરન્સને કારણે સંબંધોમાંકડવાશ આવવા લાગે છે.

શરૂઆતમાં કપલ આ બાબતો પર ધ્યાન આપતું નથી. જે કારણે ધીરે ધરે આ કડવાશ છૂટાછેડા તરફ દોરી શકે છે.

અપેક્ષાઓ

અપેક્ષાઓ

લગ્નના શરૂઆતના સમયમાં કપલ એકબીજા પાસેથી બહુ અપેક્ષા રાખતા નથી, પરંતુ સમયની સાથે સાથે પ્રેમની સાથે અપેક્ષાઓ પણ વધી જાય છે.

લગ્નના 10 વર્ષપછી જીવનસાથી પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે. જ્યારે અપેક્ષાઓ પૂરી ન થાય તો સંબંધોમાં કડવાશ આવે છે, જે છૂટાછેડા તરફ દોરી શકે છે.

બેવફાઈ

બેવફાઈ

કોઈપણ યુગલના સંબંધોના અંત માટે બેવફાઈ સૌથી મોટું કારણ છે. આજકાલ છૂટાછેડાનું સૌથી મોટું કારણ બેવફાઈ છે.

લગ્નના 10 થી 15 વર્ષ પછી અફેરના કારણેછૂટાછેડા પણ થાય છે.

વાતો છૂપાવવી

વાતો છૂપાવવી

લગ્નના થોડા વર્ષો સુધી કપલ એકબીજાને બધી વાતો કહે છે, પરંતુ લગ્નના લાંબા સમય સુધી એકબીજાથી વાતો છૂપાવવાને કારણે છૂટાછેડા પણ થઈ શકે છે.

પતિ કે પત્ની પોતાના પાર્ટનરથી વાતો છૂપાવવાથી સંબંધ નબળા પડે છે અને સાથે જ બીજા પાર્ટનરને માનસિક તણાવ પણ આપે છે, જેનાથી છૂટાછેડા પણ થઈ શકે છે.

ઝઘડા

ઝઘડા

પતિ-પત્ની વચ્ચે નાના-મોટા ઝઘડા થવું સામાન્ય બાબત છે, પરંતુ આ લડાઈ ક્યારેક છૂટાછેડાનું કારણ બની જાય છે.

હકીકતમાં લાંબા સમય સુધી એકબીજા સાથેલડવાથી સંબંધોમાં પ્રેમ ઓછો થઈ જાય છે, જેના કારણે છૂટાછેડા આવે છે.

સ્વતંત્રતાનો અભાવ

સ્વતંત્રતાનો અભાવ

ક્યારેક લગ્ન તૂટવાનું કારણ સ્વતંત્રતાનો અભાવ પણ હોય છે. ઘણી વખત પતિ કે પત્ની પોતાના પાર્ટનર સાથે ખુલીને વાત કરી શકતા નથી.

કેટલાક સંબંધોમાં પ્રેમહોય છે, પણ સ્વતંત્રતા હોતી નથી. આ કારણે છૂટાછેડા પણ થાય છે. સંબંધમાં પ્રેમની સાથે સાથે સ્વતંત્રતા પણ ખૂબ જરૂરી છે.

English summary
Dhanush and Aishwarya divorce after 18 years, know why divorce happens even after years of marriage?.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X