40 વર્ષની ઉંમરે પ્રેમ મળવો સામાન્ય છે, બ્રેકઅપની અફવાઓ વચ્ચે મલાઈકા અરોરાએ નોટ શેર કરી
બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને એક્ટ્રેસ મલાઈકા અરોરાના બ્રેકઅપના સમાચારની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી હતી, પરંતુ આ દરમિયાન અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથેનો ફોટો શેર કરીને બ્રેકઅપની તમામ અફવાઓનો અંત આણ્યો છે.
મુંબઈ : બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને એક્ટ્રેસ મલાઈકા અરોરાના બ્રેકઅપના સમાચારની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી હતી, પરંતુ આ દરમિયાન અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથેનો ફોટો શેર કરીને બ્રેકઅપની તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. આ દરમિયાન હવે મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે.
મલાઈકાએ લખ્યું - 25 વર્ષની ઉંમરે જીવન સમાપ્ત થતું નથી
મલાઈકાએ લખ્યું કે, જો કોઈને 40 વર્ષની ઉંમરમાં પ્રેમ મળે તો તેનો નોર્મલ રીતે સ્વીકાર કરો. 25 વર્ષની ઉંમરે જીવન સમાપ્ત થતું નથી. મલાઈકા અરોરાએ શેરકરેલી નોટમાં તેણે લખ્યું છે કે, ખરેખર એવું નથી.
મલાઈકા અરોરાએ નોટ્સમાં લખ્યું - તમારી વિચારસરણીને બદલો
40 વર્ષની ઉંમરે, જો તમને પ્રેમ મળે, તો આ વસ્તુને સામાન્ય રીતે સ્વીકાર કરો. 30 વર્ષની ઉંમરે, નવા સપના જોવા અને નવી વસ્તુઓની ઇચ્છા વિશે સામાન્ય મતબનાવો.
50 વર્ષની ઉંમરે તમે તમારા જીવનનો હેતુ શોધી લીધો અથવા શોધી લીધો હશે. આ વસ્તુને સામાન્ય બનાવો. 25 વર્ષની ઉંમરે જીવન સમાપ્ત થતું નથી.આવું વર્તન કરવાનું બંધ કરો અને જીવનમાં તમારી વિચારસરણીનો વિસ્તાર કરો.
અર્જુન કપૂરે પણ નોટ શેર કરી
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં બ્રેકઅપના સમાચારો વચ્ચે અર્જુન કપૂરે મલાઈકા સાથે એક ફોટો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, અફવાઓ માટે કોઈ જગ્યાનથી. દરેક વ્યક્તિ સુરક્ષિત રહે. ખુશ રહે. લોકોના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો. હું તમને બધાને ખૂબ પ્રેમ કરું છું.
ઈન્ડસ્ટ્રીના ફેવરિટ કપલ્સ છે મલાઈકા-અર્જુન
ઉલ્લેખનીય છે કે, અર્જુન કપૂર અને મલાઈકા ઈન્ડસ્ટ્રીના સૌથી ફેવરિટ કપલ્સમાંથી એક છે. તેમના સંબંધો વિશે સાંભળીને ચાહકો ખૂબ જ ખુશ થયા હતા. બંને ઘણીવારજાહેરમાં સાથે જોવા મળ્યા છે. બંનેની રોમેન્ટિક સ્ટાઈલ ઘણી લંચ અને ડિનર પાર્ટીઓમાં જોવા મળે છે.