Jiah Khan Case : જિયા ખાને લખ્યો હતો સુરજ પંચોલીને છેલ્લો પત્ર, વાંચો સમગ્ર પત્ર
Jiah Khan Case : બોલીવુડ એક્ટ્રેસ જિયા ખાને આત્મહત્યા કેસમાં કોર્ટે સુરજ પંચોલીને નિર્દોષ જાહેર કરી દીધો છે. બોલીવુડ એક્ટ્રેસ જિયા ખાને 3 જૂન, 2013ના રોજ મુંબઇના અપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. જિયા તે સમયે 25 વર્ષની હતી.
અભિનેત્રીએ અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મ 'નિશબ્દ'થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. જ્યારે જિયાએ આત્મહત્યા કરી, ત્યારે અભિનેત્રી તે સમયે સુરજ પંચોલીને ડેટ કરી રહી હતી. તેમનું મૃત્યુ રહસ્ય જ રહ્યું છે.

જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ કેસમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે. જિયાની માતા રાબિયા અમીને અભિનેત્રીની આત્મહત્યા માટે સુરજને જવાબદાર ગણાવ્યો હતો, જ્યારે સુરજે તેને નકારી કાઢ્યો હતો.
સુરજને જિયાનો છેલ્લો પત્ર! - જિયા ખાનના છેલ્લા પત્રમાં લખવામાં આવ્યું હતું કે, મને ખબર નથી કે, તમને આ કેવી રીતે કહેવું પરંતુ, હું હવે કહી શકું છું, કારણ કે મારી પાસે ગુમાવવા માટે કંઈ નથી. મેં પહેલેથી જ બધું ગુમાવ્યું છે. જો તમે આ વાંચી રહ્યા છો, તો શક્ય છે કે, હું પહેલેથી જ છોડી ગઇ છું અથવા જવાની છું. હું અંદરથી સાવ તૂટી ગઇ છું. તમને કદાચ આ ખબર નહીં હોય પણ તમે મને એટલી હદે પ્રભાવિત કરી કે. હું તમને પ્રેમ કરવામાં ખોવાઈ ગઇ. તેમ છતાં તમે મને દરરોજ ત્રાસ આપ્યો છે. આ દિવસોમાં મને કોઈ રસ્તો દેખાતો નથી. મારે જીવવું નથી. એક સમય હતો, જ્યારે હું તમારી સાથે મારું જીવન અને ભવિષ્ય જોતી હતી, પણ તમે મારા સપના ચકનાચૂર કરી દીધા. હું અંદરથી મૃત અનુભવું છું.
જિયાએ સુરજ માટે શું લખ્યું? - પત્રમાં આગળ લખવામાં આવ્યું હતું કે, મેં ક્યારેય કોઈને પોતાનું આટલું બધું આપ્યું નથી કે, આટલી કાળજી લીધી નથી. મારા પ્રેમના બદલામાં તમે મારી સાથે છેતરપિંડી કરી અને ખોટું બોલ્યા. મેં તમને કેટલી ભેટ આપી છે અથવા તમે મને કેટલી સુંદર માનતા હતા, તેનાથી કોઈ ફરક પડતો નથી. હું ગર્ભવતી થવાથી ડરતી હતી, પરંતુ મેં મારી જાતને સંપૂર્ણપણે સમર્પણ કરી દીધું હતું.
તમે મને આપેલી પીડાએ મારો અને મારા આત્માનો નાશ કર્યો છે. હું ખાઈ શકતી નથી કે ઊંઘી શકતી નથી. હું કશું વિચારી શકતી નથી કે, કરી શકતી નથી. હું દરેક વસ્તુથી ભાગી રહી છું.
જિયાની માતાનો આરોપ - ઉલ્લેખનીય છે કે, જિયાની માતા રાબિયા ખાને પણ સુરજ પર ઘણા આરોપો લગાવ્યા છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સુરજ પંચોલીએ જિયા સાથે ખરાબ વર્તન કર્યું હતું. સુરજનો પરિવાર પણ જીયા સાથે ખરાબ વર્તન કરતો હતો. સુરજ જિયાને ગર્ભપાત કરાવવા દબાણ કરે છે. સુરજ પંચોલી મારી પુત્રીના મોતનો મુખ્ય આરોપી છે.












Click it and Unblock the Notifications
