Jiah Khan Case : જિયા ખાન આત્મહત્યા કેસનો આવ્યો ચુકાદો, સુરજ પંચોલી નિર્દોષ જાહેર
Jiah Khan Case : મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જિયા ખાન કેસમાં 20 એપ્રિલ, 2023 શુક્રવાર સુધી પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. હવે આ કેસમાં નિર્ણય આવ્યો છે અને સૂરજ પંચોલીને કોર્ટમાંથી રાહત મળી છે અને તેને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.
બોલીવુડ એક્ટ્રેસ જિયા ખાન આત્મહત્યા કેસમાં મુંબઇની એક અદાલતે 28 એપ્રિલ, 2023ના રોજ પોતાનો ચુકાદો આપ્યો છે. સ્પેશિયલ ન્યાયાધીશ એએસ સૈયદે ગત 20 એપ્રિલ, 2023ની અંતિમ દલીલો પુરી કરી લીધી હતી. આ કેસમાં સુરજ પંચોલીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ જીયા ખાને પોતાના ઘરે 3 જૂન, 2013 ના રોજ આત્મહત્યા કરી હતી. જિયા ખાન તેની માતા રાબિયા ખાનને પંખાથી લટકતી હાલતમાં મળી આવી હતી.
જિયા ખાને કથિત રીતે બોલીવુડ અભિનેતા સૂરજ પંચોલી સાથેના તેના તણાવપૂર્ણ સંબંધોનું વર્ણન કરતો 6 પાનાની આત્મહત્યા ચિઠ્ઠી લખી હતી. જેના આધારે સૂરજ પંચોલી સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધાયો હતો.
જે બાદ મુંબઈ પોલીસે સૂરજ પંચોલીની ધરપકડ કરી હતી અને બાદમાં 1 જુલાઈ, 2013ના રોજ બોમ્બે હાઈકોર્ટ દ્વારા સૂરજ પંચોલીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
