Jiah Khan Case : 28 એપ્રિલે થશે જિયા ખાન આત્મહત્યા કેસનો અંતિમ નિર્ણય, કોર્ટે જાહેર કર્યો આદેશ
Jiah Khan Case : બોલીવુડ એક્ટ્રેસ જિયા ખાન આત્મહત્યા કેસમાં મુંબઇની એક અદાલત આગામી 28 એપ્રિલ, 2023ના રોજ પોતાનો ચુકાદો આપી શકે છે. સ્પેશિયલ ન્યાયાધીશ એએસ સૈયદે ગત 20 એપ્રિલ, 2023ની અંતિમ દલીલો પુરી કરી લીધી છે. આ મામલે ચુકાદા માટે સુરક્ષિત રાખવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ મામલો 3 જૂન, 2013 ના રોજ શરૂ થયો હતો, જ્યારે જિયા ખાન તેની માતા રાબિયા ખાનને પંખાથી લટકતી મળી હતી.

જિયા ખાને કથિત રીતે બોલીવુડ અભિનેતા સૂરજ પંચોલી સાથેના તેના તણાવપૂર્ણ સંબંધોનું વર્ણન કરતો 6 પાનાની આત્મહત્યા નોંધ પણ લખી હતી. તેના આધારે સૂરજ પંચોલી સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધાયો હતો. આ પછી મુંબઈ પોલીસે સૂરજ પંચોલીની ધરપકડ કરી હતી. બાદમાં 1 જુલાઈ, 2013ના રોજ બોમ્બે હાઈકોર્ટ દ્વારા સૂરજ પંચોલીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.
આવા સમયે, દિવંગત અભિનેત્રી જિયા ખાનની માતા રાબિયા ખાને તે સમયે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને તપાસ SIT અથવા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેની પુત્રીનું મૃત્યુ આત્મહત્યાથી નથી થયું, પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. વર્ષ 2014માં હાઈકોર્ટે તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરી હતી.
આ પછી CBના વિશેષ ન્યાયાધીશ દ્વારા કેસની સુનાવણી કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી માર્ચ 2019માં શરૂ થઈ હતી. ડિસેમ્બર 2015 માં, બોલીવુડ અભિનેતા અને જિયા ખાનના કથિત બોયફ્રેન્ડ સૂરજ પંચોલી સામે દાખલ કરાયેલી ચાર્જશીટમાં, CBIએ તેના પર ભારતીય દંડ સંહિતાની કલમ 306 હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ મૂક્યો હતો. જે બાદમાં, રાબિયાએ ફરીથી હાઈકોર્ટનો સંપર્ક કર્યો અને કેસ અમેરિકન તપાસકર્તાઓને, એફબીઆઈને ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. કારણ કે, જિયા અમેરિકન નાગરિક હતી.
હાઈકોર્ટે રાબિયા ખાનની આ અરજી ફગાવી દીધી હતી. આ દરમિયાન સૂરજ પંચોલીના વકીલ પ્રશાંત પાટીલે જાન્યુઆરી 2023 માં સાક્ષીઓને બોલાવીને ટ્રાયલ ઝડપી કરવા માટે વિશેષ અદાલતમાં અરજી કરી હતી.
તેમણે દલીલ કરી હતી કે, સીબીઆઈએ માત્ર 14 સાક્ષીઓને જ રજૂ કર્યા હતા અને કેસ 2014થી પેન્ડિંગ હતો. તેમણે દલીલ કરી હતી કે, ટ્રાયલમાં વિલંબથી સૂરજ પંચોલીને મુશ્કેલી થઈ રહી છે. હવે આ મામલે ચુકાદો 28 એપ્રિલ, 2023ના રોજ એટલે કે આવતીકાલે સંભળાવવામાં આવશે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
