પત્ની ટ્વીંકલ ખન્નાએ કર્યું અક્ષય કુમારની ફિલ્મ રક્ષા બંધનનો પહેલો રિવ્યૂ, પતિની ફિલ્મને લઇને આપ્યો આવું રિએક્
બૉલિવુડના શાનદાર એક્ટર અક્ષય કુમાર પોતાની આવનાર ફિલ્મ રક્ષા બધનને લઇને સમાચારમાં છે. આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરમાં રિલિઝ થવા જઇ રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે ભૂમિ પેડનેકર સહિત અમુક નવા કલાકારો પણ જોવા મળશે.
બૉલિવુડના શાનદાર એક્ટર અક્ષય કુમાર પોતાની આવનાર ફિલ્મ રક્ષા બધનને લઇને સમાચારમાં છે. આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરમાં રિલિઝ થવા જઇ રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે ભૂમિ પેડનેકર સહિત અમુક નવા કલાકારો પણ જોવા મળશે. જો કે અમુક છેલ્લા થોડા દિવસોથી આ ફિલ્મને બોયકોટ કરવાની વાત કરવામાં આવી રહી હતી. સોશિયલ મીડિયા પર બોયકોટ રક્ષા બંધન ટ્રેન્ડ કરવાામાં આવી રહ્યો છે. બોયકોટ કરવાની વાત કરવામાં આવી રહી છે. બોયકોટની વાત પર અક્ષય કુમારે રિએક્ટ કરતા જણાવ્યું હતુ કે, ફિલ્મ દેશની આર્થ વ્યવસ્થામાં ભારે મદદરૂપ થાય છે. એટલામાટે આવુ બિલકુલ ના કરે. હવે અક્ષય કુમારની પત્ની ટ્વીંકલ ખન્નાએ પોતાની ફિલ્મની રક્ષા બંધનને લઇને પહેલુ રિવ્યુ આપ્યું હતો. તેણે ફિલ્મ જોઇ લીધી છે અને તેના પર પ્રતિક્રિયા આપી છે.
પત્ની ટ્વીકર ખન્નાએ પોતાના પતિની ફિલ્મનું કર્યુ રિવ્યુ કર્યો છે. ફિલ્મ વિશે ઇન્સ્ટાગ્રામ પર લખ્યુ છે કે, રક્ષા બંધન ફિલ્મને મને પહેલા ભાગમાં ખુબ હસાવે છે. અને બીજા ભાગમાં રડાવે છે. તેણે વધુમા લખ્યું હતુ કે, ભારત વિશેની એક ફિલ્મ જેના પર આપણે બધા ઢોંગ કરીએ છીએ. પરંતુ વાસ્તવિક્તા હાજર નથી. આપણે વાસ્તવિક્તાની કલ્પના કરીએ પણ તે હાજર નહોતી. આપણે દહેજને ગિફ્ટનું નામ આફી દિધુ છે.
ફિલ્મના ડાયરેક્ટરના થયા વખાણ
ટ્વીંટકલ ખન્નાએ પોતાની પોસ્ટમાં રક્ષા બંધન ડાયરેક્ટર આનંદ એલ રાયના પણ વખાણ કર્યા છે. જે પહેલા રાઝણા અને તનુ વેડ્સ મનું જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. ટ્વીકલ ખન્નાએ લખ્યુ કે, અદ્ધત આનંદ રાયે કુશળતા સાથે એક એવી દુનિયાનું નિર્માણ કર્યુ છે. જ્યાં ભાઇ બહેન એક બીજાને ચિઢાવે છે. એક બીજાનું સમર્થન કરે છે. અને છેલ્લે એક સાથે જીતે છે.
ટ્વીંકલ ખન્નાએ કહ્યું આંખમાં પાણી આવી જશે
ટ્વીંકલ ખન્નાએ પોતાના રિવ્યુમાં કરતા લખ્યુ છે કે, માનસિક્તા બદલવા સાથે ઘણા પડકારો હોય છે. કે આ વાત પહેલેથી જ પરિવર્તન માટે લોકો વચ્ચે ફેલાતી જાય છે. આ એક માત્ર સિનેમા છે જેને ઘણા લોકોના દિલ અને દિમાગ સુધી પહોચવાની તાકાત છે. રક્ષા બંધન ભલે તમને હસાવે પરંતુ જ્યારે તમે થિએટરમાથી બહાર નિકળશો ત્યારે તમે રડતા બહાર આવશો
ફિલ્મને બોયકોટ કરવાની વિનંતી સોશિયલ મીડિયામાં થઇ રહી છે
તમને જણાવી દઇએ કે, થોડા સમયથી સોશિયલ મીડિયામાં બોયકોટ રક્ષા બધન ટ્રેન્ડ થઇ રહ્યુ છે. અમુક લોકો ફિલ્મને બોયકોટ કરવાની વાત કરી રહ્યા છે. તેમણે અક્ષય કુમાર પર ડબલ સ્ટાર્ન્ડ હોવાનો આરોપ લગાવ્યો છે.
અક્ષય કુમાર પર લોકો નારાજ છે
લોકો અક્ષય કુમારને જુના વિડીયો અને ટ્વીટ શેર કરીને જેમા મૂર્તિ પર દુધ ચઢાવીને લઇને કરેલી કોમેન્ટ યાદ અપાવે છે. અમુક બિજા વિડોયો પણ છે. જેમા તે ખુદ મંદિરમાં જઇને પુજા પાઠ કરે છે. આ વાતને લઇને અક્ષય કુમારથી લોકો નારાજ છે.