કંકોત્રી પણ છપાઈ હતી પરંતુ આ એક કારણે સલમાન ખાને લગ્ન ન કર્યા? જાણો કેમ રહ્યો કુંવારો?
બોલિવૂડના દબંગ સલમાન ખાન ફેન્સના મોસ્ટ ફેવરિટ એક્ટર્સની યાદીમાં સામેલ છે. તેનું નામ બોલિવૂડની મોટી અભિનેત્રીઓ સાથે જોડાયું હતું, પરંતુ તેમ છતાં સલમાન ખાન 59 વર્ષની ઉંમરે પણ સિંગલ છે. પરંતુ શું તમે જાણો છો કે એક વખત સલમાન લગ્ન કરવા જઈ રહ્યો હતો પરંતુ કોઈ કારણસર તૂટી ગયા હતો.
બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ઘણી અભિનેત્રીઓ સાથે પ્રેમ થયો હતો. અભિનેતાનું તેની સાથે અફેર પણ હતું અને ઘણી વખત લગ્નની વાત આવતા સંબંધો તૂટી ગયા હતા. એ જ રીતે એકવાર સલમાન ખાનના લગ્ન નક્કી થયા પછી કંકોત્રી પણ છપાઈ ગઈ હતીપરંતુ અંતે તેમના લગ્ન તૂટી ગયા.
સલમાન ખાનના ખાસ મિત્ર સાજિદ નડિયાદવાલાએ પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો. ફિલ્મ 'હાઉસફુલ 4'ના પ્રમોશન દરમિયાન તેણે કહ્યું હતું કે સલમાન ખાનને એક છોકરી ખૂબ જ પસંદ પડી હતી, ત્યાર બાદ વાત લગ્ન સુધી પહોંચી હતી. બંનેના લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. પરંતુ સલમાન ખાને લગ્નના 6 દિવસ પહેલા જ પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો.

સલમાનને આપવામાં આવ્યો હતો ઠપકો
સાજિદે જણાવ્યું કે લગ્નના થોડા દિવસો પહેલા સલમાન ખાને અચાનક તેને કહ્યું હતું કે, 'હું મૂડમાં નથી.' જ્યારે તેણે અને સલમાને એક જ દિવસે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જો કે પરિવારના સભ્યોએ સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી, પરંતુ બાદમાં સલમાનને આ માટે ઠપકો આપવામાં આવ્યો હતો. સાજિદે એ નથી જણાવ્યું કે એ વ્યક્તિ કોણ છે જેની સાથે સલમાનના લગ્ન તૂટી ગયા હતા.
સંગીતા બિજલાની સાથે થવાના હતા લગ્ન
તમને જણાવી દઈએ કે એક વખત સલમાન ખાને પોતે જ ખુલાસો કર્યો હતો કે તે સંગીતા બિજલાની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. બંનેની સગાઈ થઈ ગઈ હતી અને લગ્નની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ તેમના લગ્ન તૂટી ગયા હતા. કહેવાય છે કે સંગીતા બિજલાનીએ સલમાન ખાન અને સોમી અલીને રંગે હાથે પકડ્યા હતા, ત્યારપછી તેણે આ સંબંધથી દૂરી લીધી હતી. આ પછી સલમાનનું નામ ઐશ્વર્યા રાય, કેટરિના કૈફ સહિત અન્ય ઘણી અભિનેત્રીઓ સાથે પણ જોડાયું હતું.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
