Pics : ‘હીરો-હીરોઇન ફૉર્મ્યુલા કારગત નથી’
મુંબઈ, 18 જુલાઈ : કોઈ પણ ફિલ્મની સફળતાનો આધાર માત્ર હીરો-હીરોઇન ન હોઈ શકે. હાલનો જમાનો સ્ક્રિપ્ટનો છે અને હીરો-હીરોઇન ફૉર્મ્યુલા લાંબા સમય સુધી સાથ ન આપી શકે.
આમ કહેવું છે વિશાખા સિંહનું કે જેઓ પોતાની આવનાર ફિલ્મ બજાતે રહોના પ્રમોશન દરમિયાન બોલી રહ્યા હતાં. છેલ્લે ફુકરે ફિલ્મમાં દેખા દેનાર વિશાખાએ જણાવ્યું કે તેમની ફિલ્મ અંકુર અરોરા મર્ડર કેસમાં કોઈ મોટા ગજાના હીરો-હીરોઇન નહોતાં. કલાકારોની ટુકડી અને સારી સ્ક્રિપ્ટ જ ફિલ્મની સફળતામાં મહત્વનો ભાગ ભજવે છે.
ફુકરે અને અંકુર અરોરા મર્ડર કેસ બંને ફિલ્મોમાં કલાકારોની ટુકડી હતી અને વિશાખા સિંહ પણ તેનો એક ભાગ હતાં, તો વિશાખાની આગામી ફિલ્મ બજાતે રહો પણ મલ્ટીસ્ટારર ફિલ્મ છે કે જેમાં તુષાર કપૂર, રણવીર શૌરી, રવિ કિશન, વિનય પાઠક તથા ડૉલી અહલુવાલિયા જેવા કલાકારો છે. બજાતે રહો એક કૉમિક થ્રિલર ફિલ્મ છે અને વિશાખા સિંહ તેમાં કામ કરી ખુશ છે.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

ધારદાર ભૂમિકામાં વિશાખા
વિશાખા સિંહે બજાતે રહોના પ્રમોશન દરમિયાન જણાવ્યું કે તેઓ બજાતે રહો ફિલ્મ કરી ખૂબ ખુશ હતાં, કારણ કે ઘણા સમય બાદ તેઓ એક ધારદાર ભૂમિકામાં છે. જોકે ફિલ્મ ખૂબ જ કૉમેડી છે અને તેમાં તેઓ એક સાહસી શીખ મહિલાની ભૂમિકામાં છે.

રવિ કિશને ઉજવ્યો જન્મ દિવસ
બજાતે રહો ફિલ્મના પ્રમોશન દરમિયાન રવિ કિશને પોતાનો જન્મ દિવસ પણ ઉજવ્યો. ફિલ્મના સાથી કલાકારોએ રવિને કેક ખવડાવી હતી.

પ્રાણને શ્રદ્ધાંજલિ
બજાતે રહો ફિલ્મની ટીમે પ્રાણના નિધનના પગલે ફિલ્મનું મ્યુઝિક લૉન્ચ કાર્યક્રમ સ્થગિત કરી નાંખ્યું હતું.

હવે પીરિયડ ફિલ્મમાં
વિશાખા સિંહની આગામી ફિલ્મ આશુતોષ ગોવારીકરની ખેલેં હમ જી જાન સે છે કે જે એક પીરિયડ ફિલ્મ છે.

મલ્ટીસ્ટારર ફિલ્મ
ફિલ્મ બજાતે રહો પણ મલ્ટીસ્ટારર ફિલ્મ છે કે જેમાં તુષાર કપૂર, રણવીર શૌરી, રવિ કિશન, વિનય પાઠક તથા ડૉલી અહલુવાલિયા જેવા કલાકારો છે.

ડૉલીની મહત્વની ભૂમિકા
બજાતે રહો ફિલ્મમાં ડૉલી અહલુવાલિયા પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
