પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢાની કઇ રીતે થઇ પહેલી મુલાકાત? નેતાએ કહ્યું- તે મેજીકલ મુમેન્ટ હતી
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢાએ 13 મે 2023 ના રોજ સગાઈ કરીને તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા. હવે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, રાઘવ અને પરિણીતીના લગ્નના ફંક્શન 23 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ સિવાય તાજેતરમાં આમંત્રણ કાર્ડ પણ વાયરલ થયું હતું.
દરમિયાન રાઘવ ચઢ્ઢાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન પરિણીતી ચોપરા સાથેની તેની પ્રથમ મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો.

રણવીર અલ્લાહબડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં રાઘવ ચઢ્ઢાએ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે ખુલીને વાત કરી હતી. આ દરમિયાન જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે પરિણીતિને ક્યારે અને ક્યાં મળ્યો. જેના જવાબમાં રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે, જો હું બધું કહીશ તો ઘરે જઈને મને મારવામાં આવશે કે હું બધું કહીને આવ્યો છું.
રાઘવ ચઢ્ઢાએ પરિણીતી ચોપરા સાથેની મુલાકાતને મેજીકલ ગણાવી હતી. તેણે કહ્યું, 'અમે જે રીતે મળ્યા તે ખૂબ જ જાદુઈ અને ઓર્ગેનિક રીત હતી. આ મીટિંગ માટે હું દરરોજ ભગવાનનો આભાર માનું છું.
હું તેને મળીને ખૂબ જ ખુશ છું અને હું એ પણ કહેવા માંગુ છું કે તે ભગવાનનો આશીર્વાદ હતો કે તેણે મને પરિણીતી સાથે પરિચય કરાવ્યો. તેમનું મારા જીવનમાં આવવું એક આશીર્વાદ છે. હું ખુશ છું કે તે મારા જીવનસાથી તરીકે મારી સાથે છે.
આ પછી જ્યારે રાઘવ ચઢ્ઢાને પૂછવામાં આવ્યું કે આખો દેશ તેમના લગ્નને લઈને ઉત્સાહિત છે તો તમે આના પર શું કહેવા માગો છો. AAP નેતાએ જવાબ આપતા કહ્યું કે, 'હું દેશ કરતાં વધુ ખુશ છું.'
રિપોર્ટ્સ અનુસાર પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન 24 સપ્ટેમ્બરે રાજસ્થાનના ઉદયપુરમાં થશે. જ્યાં પરિણીતીની પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરા પણ હાજરી આપશે. આ સિવાય ઘણા મોટા નેતાઓ પણ ભાગ લેશે.
તાજેતરમાં બંનેના લગ્નની રિસેપ્શન પાર્ટીનું સ્થળ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. જેમાં લખ્યું હતું કે આ રિસેપ્શન પાર્ટી ચંદીગઢમાં 30 સપ્ટેમ્બરે યોજાશે. અગાઉ એવા અહેવાલ હતા કે રાઘવ અને પરિણીતી ગુરુગ્રામમાં તેમના લગ્નની રિસેપ્શન પાર્ટી આપશે. હાલમાં ચાહકો આ કપલના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે લગ્નની તારીખને લઈને હજુ સુધી બંને તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
