For Daily Alerts
શ્રીલંકન તામિળો માટેના ઉપવાસમાં જોડાયાં રજની-કમલ
ચેન્નઈ, 3 એપ્રિલ : રજનીકાંત, કમલ હસન, અજિત કુમાર જેવી મોટી-મોટી ફિલ્મી હસ્તીઓ મંગળવારે શ્રીલંકન તામિળો વિરુદ્ધ કથિત અપરાધની વિરુદ્ધ અહીં યોજાયેલ ઉપવાસમાં જોડાઈ.
સાઉથ ઇન્ડિયન ફિલ્મ આર્ટિસ્ટ એસોસિએશન (એસઆઈએફએએ) દ્વારા યોજાયેલ આ એક દિવસના ઉપવાસમાં સાઉથ ઇન્ડિયની અનેક ફિલ્મી હસ્તીઓએ ભાગ લીધો. નદીગાર સંગમ ખાતે યોજાયેલ મૌન પ્રદર્શન દરમિયાન વિક્રમ, શરથ કુમાર, પ્રકાશ રાજ, ભાગ્યરાજ, રાધા રવિ, સત્યરાજ, શિવકુમાર, સૂર્યા, કીર્તિ, ભારત, ઉદયનિધિ સ્ટાલિન, ધનશિખા, મોનિકા, વિશાલ કૃષ્ણા તથા ચંદ્રશેખર પણ જોડાયાં. અહીં કોઈ માઇક નહોતું અને ન કોઇએ પ્રવચન કર્યું.
એસઆઈએફએએના એક સભ્યે જણાવ્યું કે માઇકનો ઉપયોગ એટલા માટે ન કરાયો, કારણ કે અમે નહોતા ઇચ્છતા કે લોકોનો રોષ ભભૂકો. આનાથી તણાવ વધવાની શંકા હતી.
English summary
For one day hunger protest in favour of Sri Lankan Tamils. Tycoon of Tamil cinema Rajinikanth and Kamal Hassan came and sat not even an Hour.