For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના કહેર વચ્ચે ફિલ્મો-સીરિયલોના શૂટિંગ શરૂ કરવાનો નિર્ણય યોગ્ય છે?

કોરોના કહેર વચ્ચે ફિલ્મો-સીરિયલોના શૂટિંગ શરૂ કરવા યોગ્ય છે?

|
Google Oneindia Gujarati News

કોરોના મહામારી દરમિયાન નિવારક ઉપાયોના કારણે મનોરંજન ઉદ્યોગ ઘણા લાંબા સમય સુધી અટકી ગયો. જ્યારે લાંબા સમયથી ચાલી રહેલ લૉકડાઉન બાદ દેશને અનલૉક કરવાનુ શરૂ કરી દીધુ છે અને આ કારણે વ્યાવસાયિક ક્ષેત્રો ફરીથી ખુલવા લાગ્યા છે અને એ સવાલ પૂછાવા લાગ્યો કે જો અન્ય વ્યવસાય ફરીથી શરૂ થઈ શકે તો ફિલ્મ અને સંબંધ્ધ ઉદ્યોગોમાં કામ કેમ નથી શરૂ કરવામાં આવતુ? કામ ન કરી શકવાની ભાવના મનોરંજન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને ચર્ચા કરવા પર મજબૂર કરી દીધા અને ફિલ્મ નિર્માણ ગતિવિધિઓને ફરીથી શરૂ કરવા બાબતે સરકારના નિર્ણયને શિથિલ કરવાની કોશિશ કરવામાં આવી રહી હતી.

કોરોના વાયરસના વધતા કેસો પર એક પ્રશ્નાર્થ ચિહ્ન

કોરોના વાયરસના વધતા કેસો પર એક પ્રશ્નાર્થ ચિહ્ન

છેવટે મહારાષ્ટ્ર સરકારે માનક સંચાલન પ્રક્રિયાઓ(એસઓપી)ની અનુમતિ આપી દીધી જેનાથી શૂટિંગ ગતિવિધિઓને ફરીથી શરૂ કરવામાં આવી. શૂટિંગ દરમિયાન ઘણી સ્વસ્છતા પ્રોટોકૉલનુ પાલન કરવામાં આવવાનુ હતુ. 65 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના અભિનેતાઓ અને યુનિટના સભ્યોને નવા એસઓપી હેઠળ શૂટિંગ માટે અનુમતિ આપવામાં આવી નહોતી. પરંતુ મનોરંજન ઉદ્યોગમાં કોરોના વાયરસના લેટેસ્ટ કેસ, આના પર પુનર્વિચાર કરવા માટે મજબૂર કરી શકે છે. જો કે કોઈને એ ખબર નહોતી કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન લૉકડાઉન દરમિયાન પોતાના કામના શિડ્યુલના કારણે કોરોના વાયરસ સાથે કેવી રીતે સંપર્કમાં આવ્યા પરંતુ તેમના દ્વારા ફરીથી કામ શરૂ કરવુ, મુંબઈમાં કોરોના વાયરસના વધતા કેસો પર એક પ્રશ્નાર્થ ચિહ્ન ઉભુ કરી દીધુ છે.

સ્વચ્છતા અને સેનિટાઈઝેશન પૂરતુ છે?

સ્વચ્છતા અને સેનિટાઈઝેશન પૂરતુ છે?

પાર્થ સમથાન નવા અભિનેતા છે જે કોવિડ-19 પૉઝિટીવ મળી આવ્યા છે. અભિનેતાએ હાલમાં જ ટીવી સીરિયલ 'કસોટી જિંદગી કી'નુ શૂટિંગ કર્યુ હતુ. આનાથી અભિનેતા અને ટેકનિશિયન શૂટિંગ, ડબિંગ વગેરેને ફરીથી શરૂ કરવા માટે પોતાની રણનીતિ પર પુનર્વિચાર કરી શકે છે. કોઈને પણ ખબર નથી કે અભિનેતા કેવી રીતે વાયરસના સંપર્કમાં આવ્યા પરંતુ હવે દરેક જણ કોવિડ-19થી જોડાયેલ ડર સાથે દરેક સંભાવના પર વિચાર કરી શકે છે. હવે રિસ્ક ફેક્ટર વધુ છે. એ વાત નકારી શકાય નહિ કે ફિલ્મ કે સીરિયલ કે વેબ સીરિઝના શૂટિંગ માટે લોકોને નજીકથી કામ કરવુ પડે છે, કંઈક એવુ કરવુ જેનાથી કાર્યાલયમાં કામ કરતા લોકો ઘણી હદ સુધી બચી શકે છે. સ્વચ્છતા અને સેનિટાઈઝેશન પ્રોટોકૉલનુ સંપૂર્ણપણે પાલન કરવામાં આવી રહ્યુ છે પરંતુ સવાલ એ છે કે આ બધુ કેટલુ પૂરતુ છે? આ બધાને પૂરતુ અને સુરક્ષિત શું બનાવે છે?

આ એક સવાલ મહત્વનો છે

આ એક સવાલ મહત્વનો છે

ઈન્ડસ્ટ્રી માટે ફિલ્મ ટ્રેડ એક્સપર્ટ કોમલ નાહટા કહે છે, 'એક ડર એ છે કે ઉપરોક્ત ત્રણ કેસો બાદ સરકાર ખુદ જ ફિલ્મ, ટીવી અને વેબ યુનિટ્સને શૂટ કરવા માટે આપેલી અનુમતિ પાછી લઈ શકે છે. એક સંભાવના એ છે કે અભિનેતા, ટેકનિશિયન અને ચાલક દળના સભ્ય ખુદ શૂટિંગ અને પોસ્ટ પ્રોડક્શન ગતિવિધિએમાં ભાગ લેવા માટે અસંમતિ દર્શાવી શકે છે. એક તરફ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય માટે મહામારીથી બચવાનો સવાલ છે. બીજી તરફ આ આર્થિક ડિપ્રેશનથી બચવાનુ છે જે આ મહામારી સાથે આવ્યુ છે. આર્થિક તકલીફ અને આરોગ્ય બે અલગ અલગ છેડે છે પરંતુ હવે જિંદગી અને કામના સામાન્ય પાઠ્યક્રમને ફરીથી શરૂ કરવા વચ્ચે યોગ્ય સંતુલન કેવી રીતે બનાવવુ - આ એક સવાલ મહત્વનો છે.'

કોંગ્રેસમાંથી હાંકી કઢાયા બાદ સચિન પાયલટે કર્યુ ટ્વિટ, જાણો શું કહ્યુકોંગ્રેસમાંથી હાંકી કઢાયા બાદ સચિન પાયલટે કર્યુ ટ્વિટ, જાણો શું કહ્યુ

English summary
Is the entertainment industry's move right to resume shooting amid epidemic?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X