માનહાની કેસમાં જાવેદ અખ્તરને મોટો ઝટકો, કંગના રનોત વિરૂદ્ધ કરેલી માંગને કોર્ટે ફગાવી
પ્રખ્યાત લેખક જાવેદ અખ્તરે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો અને હાલમાં જ કોર્ટમાં બિનજામીનપાત્ર વોરંટ પર કંગનાની ધરપકડ કરવાનો આદેશ આપવા અપીલ કરી હતી, આ કેસમાં જાવેદ અખ્તરને મંગળવારે કોર્ટ
પ્રખ્યાત લેખક જાવેદ અખ્તરે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો અને હાલમાં જ કોર્ટમાં બિનજામીનપાત્ર વોરંટ પર કંગનાની ધરપકડ કરવાનો આદેશ આપવા અપીલ કરી હતી, આ કેસમાં જાવેદ અખ્તરને મંગળવારે કોર્ટમાંથી મોટો ફટકો પડ્યો છે.

મુંબઈ કોર્ટે કંગના રનૌત વિરુદ્ધ માનહાનિના કેસમાં કંગના રનૌત વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવાની જાવેદ અખ્તરની માંગને ફગાવી દીધી છે. આગામી સુનાવણી 1 ફેબ્રુઆરીએ અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટમાં થશે. આ માહિતી જાવેદ અખ્તરના વકીલ જય ભારદ્વાજે આપી હતી.












Click it and Unblock the Notifications
