જિયા ખાનના બેડરૂમમાંથી મળી આવી સુસાઇડ નોટ
મુંબઈ, 8 જૂન : આત્મહત્યા કરનાર બૉલીવુડ અભિનેત્રી જિયા ખાનનું મોત અત્યાર સુધી વણઉકલ્યું રહ્યું છે. દરમિયાન જિયા ખાનના પરિવારને તેમના બેડરૂમમાંથી એક સુસાઇડ નોટ મળી આવી છે.
મળતી માહિતી મુજબ જિયા ખાનના પરિવારજનોને જિયાના બેડરૂમમાંથી જે સુસાઇડ નોટ મળી છે તે લગભગ છ પાનાની છે. જિયા ખાન કાવ્ય લખવાના શોખીન હતાં. તેથી ઘરના લોકોએ વિચાર્યું કે આ પાનાઓ જિયાના કાવ્યોનો પેજ હશે. જિયાના માતા અને બહેન આ પાનાઓને સંભાળીને રાખી રહ્યાં હતાં કે તેમણે તે વાંચ્યું અને તે જિયા ખાનની સુસાઇડ નોટ નિકળી.
હાલ તો જિયા ખાનના પરિવારજનોએ આ સુસાઇડ નોટ પોલીસને હવાલે કરી દીધી છે. કહે છે કે આ સુસાઇડ નોટમાં લખ્યું છે - તુમને મેરે સાથ ધોખા કિયા હૈ. મૈંને તુમ પર વિશ્વાસ કિયા, લેકિન તુમને રિલેશનશિપ કા ખ્યાલ નહીં કિયા.
નોંધનીય છે કે જિયા ખાન ગત સોમવારે રાત્રે પોતાના જુહૂ ખાતે આવેલ ઘરમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતાં. અમિતાભ બચ્ચન સાથે નિશબ્દ ફિલ્મથી બૉલીવુડ જિયાના મોતથી સમગ્ર બૉલીવુડ શોકગ્રસ્ત થઈ ગયુ હતું અને આંચકો અનુભવ્યો હતો. આ અંગે આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલીની પૂછપરછ કરાઈ છે કે જેઓ જિયાના બૉયફ્રેન્ડ છે અને છેલ્લી વાર તેમણે જ જિયા ખાન સાથે વાત કરી હતી.