Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કંગના રનૌતની ઈમરજન્સીને બેન કરવાની માંગ, હરસિમરત કૌરે કહ્યુ - આ ફિલ્મ સિખોને કરી રહી છે બદનામ

Kangana Ranaut Film Emergency: બોલિવૂડ અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રનૌત આ દિવસોમાં ફિલ્મ 'ઇમરજન્સી'ને કારણે હેડલાઇન્સમાં છે. કંગના રનૌત 'ઇમરજન્સી'માં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવી રહી છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જે બાદ ફિલ્મની રિલીઝ પહેલા જ તેના પર પ્રતિબંધ લગાવવાની માંગ ઉઠવા લાગી છે.

પંજાબના ભટિંડાના સાંસદ હરસિમરત કૌર બાદલે ફિલ્મનું ટ્રેલર જોયા બાદ કહ્યું કે શીખ સમુદાય બદનામ ન થવો જોઈએ. આ સાથે, સાંસદે કંગના રનૌતની આગામી ફિલ્મ "ઇમર્જન્સી" ની રિલીઝ પહેલા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) દ્વારા સમીક્ષા કરવાની હાકલ કરી છે.

Kangana Ranaut

હરસિમરતે બુધવારે અમૃતસરમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી અને કહ્યું હતું કે "મેં આ ફિલ્મ જોઈ નથી, પરંતુ ઈમરજન્સી દરમિયાન જો કોઈ પાર્ટીએ સૌથી મોટો સંઘર્ષ કર્યો હોય તો તે શિરોમણી અકાલી દળ હતો. આંદોલનનું નેતૃત્વ કરનાર સ્વર્ગીય પ્રકાશ સિંહ બાદલ અને અન્ય લોકો સાથે ધરપકડ થનાર તે પ્રથમ વ્યક્તિ હતા અને આ ફિલ્મમાં શીખોને બદનામ કરવામાં આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે કંગના રનૌતની 'ઇમરજન્સી' ફિલ્મ 6 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ પંજાબમાં વિરોધ શરૂ થયો હતો. પંજાબના શિરોમણી અકાલી દળના નેતા કરનૈલ સિંહ પીર મોહમ્મદ, ફરિદકોટના સાંસદ સરબજીત સિંહ, ભટિંડાના સાંસદ હરસિમરત કૌર બાદલ ઉપરાંત SGPC પ્રમુખ એડવોકેટ હરજિંદર સિંહ ધામીએ આ ફિલ્મનો વિરોધ કરતા આરોપ લગાવ્યો છે કે આ ફિલ્મમાં શીખોની ભૂમિકાને ખોટી રીતે બતાવવામાં આવી છે. SGPC પ્રમુખ એડવોકેટ હરજિન્દર સિંહ ધામીએ આરોપ લગાવ્યો છે કે કંગનાની ફિલ્મ ઈમરજન્સીમાં શીખોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે.

આ સાથે તેમણે આ ફિલ્મ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. ધામીએ સેન્સરશિપમાં બેવડા ધોરણોની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે માનવાધિકાર કાર્યકર્તા ભાઈ જસવંત સિંહ ખાલરા પર આધારિત ફિલ્મ "પંજાબ '95", 85 કટ હોવા છતાં રિલીઝ માટે મંજૂરી આપવામાં આવી ન હતી, જ્યારે "ઇમર્જન્સી" ને તેના કથિત અચોક્કસ ચિત્રણ હોવા છતાં ઝડપથી મંજૂરી આપવામાં આવી હતી.

'ઇમરજન્સી'માં કંગના રનૌત ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે જેમાં એક શીખ પાત્ર વિવાદાસ્પદ સંવાદો બોલી રહ્યો છે, જેને જોઈને પંજાબના લોકો ગુસ્સે થઈ ગયા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X