દિલ્લીમાં થિયેટરો બંધ થવાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઝટકો, કરણ જોહરે CM કેજરીવાલને કરી આ અપીલ
દેશભરમાં કોરોના વાયરસ અને ઓમિક્રૉનના વધતા કેસો વચ્ચે રાજ્ય સરકારોએ પોતાને ત્યાં કોવિડ નિયમો વધુ કડક કરી દીધા છે.
નવી દિલ્લીઃ દેશભરમાં કોરોના વાયરસ અને ઓમિક્રૉનના વધતા કેસો વચ્ચે રાજ્ય સરકારોએ પોતાને ત્યાં કોવિડ નિયમો વધુ કડક કરી દીધા છે. આની અસર સિનેમા અને ટીવી જગત પર પણ જોવા મળી છે. નિર્માતાઓ પોતાના ઘણા પ્રોજેક્ટસ કોરોનાના કારણે રોકવા પડ્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં પણ કોવિડના વધતા કેસો વચ્ચે કેજરીવાલ સરકારે નિયમો કડક કરી દીધા છે. દિલ્લીમાં સિનેમાઘરોને ફરીથી બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે ઘણી ફિલ્મો ડબ્બામાં બંધ થઈ ગઈ છે.

આ દરમિયાન ફિલ્મ નિર્માતા કરણ જોહરે હવે દિલ્લી સરકારને ટ્વિટ કરીને સિનેમાઘરોને ફરીથી ખોલવાનો અનુરોધ કર્યો છે. ગુરુવારે કરણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપરાજ્યપાલને ટેગ કરીને એક ટ્વિટમાં આ અપીલ કરી. તમને જણાવી દઈએ કે દિલ્લીમાં યલો એલર્ટ ચાલુ કરવામાં આવ્યુ છે. ગયા મંગળવારે દિલ્લીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્કૂલો, કૉલેજો, સિનેમાઘરો અને જિમોને બંધ કરવાની ઘોષણા કરી હતી. હવે કરણ જોહરે સીએમ કેજરીવાલને સિનેમાઘરોને ફરીથી ખોલવાની અનુમિત આપવાનો અનુરોધ કર્યો છે.
પોતાના ટ્વિટમાં કરણે લખ્યુ, 'અમે દિલ્લી સરકારને સિનેમાઘરો ફરીથી ખોલવાની અનુમતિ આપવાનો આગ્રહ કરે છે. સિનેમાઘરની બહાર અન્ય સેટિંગ્સની તુલનામાં સામાજિક અંતરના માનદંડોને જાળવી રાખીને એક સ્વચ્છ વાતાવરણ સુનિશ્ચિત કરવાની સારી ક્ષમતાથી લેસ છે.' કરણ જોહર ઉપરાંત મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઑફ ઈન્ડિયા(એમએઆઈ)ના સભ્યોનુ એક પ્રતિનિધિમંડળે ગુરુવારે દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથે મુલાકાત કરી અને રાષ્ટ્રીય રાજધાનીમાં સિનેમા હૉલને ફરીથી ખોલવાની અનુમતિ આપવામાં તેમના હસ્તક્ષેપનો અનુરોધ કર્યો. એમઈઆઈ પ્રતિનિધિ મંડળે પોતાની બેઠકમાં કોરોનાના કારણે માર્ચ, 2020થી ઘણી વાર બંધ થઈ ચૂકેલા સિનેમાઘરોના કારણે ઉદ્યોગ પર પડેલ પ્રતિકૂળ આર્થિક સ્થિતિ પર પ્રકાશ પાડ્યો.












Click it and Unblock the Notifications
