દીપિકાના પગલે કરીનાને સાંભર્યુ પોતાનું અસ્તિત્વ
મુંબઈ, 20 ઑગસ્ટ : કારણ જે કોઈ હોય, પણ એટલું સાચુ છે કે કરીના કપૂર બૉલીવુડની ટૉપ અભિનેત્રીઓમાંના એક દીપિકા પાદુકોણેને પસંદ નથી કરતાં. ભલે તેની પાછળનું કારણ રણબીર કપૂર હોય કે પછી ફિલ્મો, પણ એટલું જરૂર છે કે દીપિકાની વાતોની અસર કરીના ઉપર પડે છે કે જેથી બેબો કુશ નહીં, પણ ગુસ્સે થાય છે અને દુઃખી થાય છે.
છેલ્લા 12-13 વરસથી હિન્દી સિનેમા માટે કામ કરી રહેલાં કરીનાને આજ સુધી આ બાબતનો ખ્યાલ ન આવ્યો કે તેમનું નામ હિન્દી ફિલ્મોની કાસ્ટિંગમાં હીરો કરતાં પહેલા આવે, પણ તેમને હવે આ બાબતનો ખ્યાલ થઈ આવ્યો છે, એ પણ ત્યારે કે જ્યારે દીપિકાનું નામ ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મની કાસ્ટિંગમાં શાહરુખ ખાન કરતાં પહેલા આવે છે. તેથી જ હવે કરીનાએ પણ ઇચ્છા વ્યક્ત કરી છે કે તેમનું નામ પણ ફિલ્મની કાસ્ટિંગમાં હીરો કરતાં પહેલા આવે.
કરીના કપૂરે આવી ઇચ્છા પોતાની આવનાર ફિલ્મ ગોરી તેરે પ્યાર મેં માટે વ્યક્ત કરી છે કે જેમાં તેમના હીરો ઇમરાન ખાન છે. ફિલ્મના નિર્માતા કરણ જૌહર છે. જોકે કરીનાએ પ્રકાશ ઝા દિગ્દર્શિત સત્યાગ્રહ ફિલ્મ માટે આવી ઇચ્છા નથી વ્યક્ત કરી. કદાચ કરીના કપૂર જાણતા હશે કે અમિતાભ બચ્ચન અને અજય દેવગણ જેવા સ્ટાર્સ ધરાવતી સત્યાગ્રહ ફિલ્મમાં તેમનું નામ આગળ લાવવાની ઇચ્છા પૂરી નહીં થઈ શકે. ખેર જોઇએ કે કરીનાની આ ઇચ્છા ગોરી તેરે પ્યાર મેં ફિલ્મમાં પૂરી થાય છે કે કેમ?