'હું 8 વર્ષની ઉંમરમાં ઘરેથી ભાગવા માંગતી હતી', કંગનાએ કહ્યુ - મારા પિતરાઈ ભાઈ કરતા હતા આવી હરકત
લૉક અપના રવિવાર(01 મે)ના એપિસોડમાં કંગના રનૌતે હિમાચલ પ્રદેશમાં પોતાના ગૃહનગરમાં પોતાના બાળપણના અનુભવો વિશે વાત કરી.
મુંબઈઃ રિયાલિટી શો લૉક અપનુ ફિનાલે વીક આવી ગયુ છે. લૉક અપના રવિવાર(01 મે)ના એપિસોડમાં કંગના રનૌતે હિમાચલ પ્રદેશમાં પોતાના ગૃહનગરમાં પોતાના બાળપણના અનુભવો વિશે વાત કરી. કંગના રનૌતે કહ્યુ કે જ્યારે તે એક બાળકી હતી અને તેના કાકાના દીકરાઓ હંમેશા તેની ફરિયાદ કરતા હતા કે તેણે કેવી કપડા પહેરવા અને તે કોને મળી. કંગનાએ કહ્યુ કે એ વખતે તે ઘરમાંથી ભાગી જવા માંગતી હતી. કંગના રનૌતે આ વાત અંજલિ અરોરાની વાત સાંભળ્યા પછી જણાવી. અંજલિ અરોરાએ પોતાની સિક્રેટ જણાવીને કહ્યુ હતુ કે જ્યારે તે અગિયારમાં ધોરણમાં હતી ત્યારે તેણે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો.
'મારા ભાઈએ બધા સામે થપ્પડ મારી હતી...'
અંજલિએ કહ્યુ, 'હું મારા ભાઈ સાથે ભણી છુ, જે ખૂબ જ સુરક્ષાત્મક હતો અને એ સુનિશ્ચિત કરતો હતો કે હું છોકરાઓ વગેરે સાથે વાત ન કરુ. એટલા માટે જ્યારે હું અગિયારમાં ધોરણમાં હતી ત્યારે હું એક વાર ટ્યુશન બંક કરીને પોતાની બેચમેટ્સ સાથે નજીકના એક કાફેમાં ગઈ. જ્યાં મારા ભાઈઓના દોસ્તોએ મને જોઈ અને કહ્યુ કે હું ત્યાં છુ. મારો ભાઈ મારી પાસે આવ્યો અને ત્યાં જ બધાની સામે મને થપ્પડ મારી દીધી.'
'પપ્પાએ મને થપ્પડ મારી અને રુમમાં બંધ કરી દીધી...'
અંજલિએ કહ્યુ, 'મે રડવાનુ શરુ કરી દીધુ અને ભાઈને બહુ વિનંતી કરી કે મારી પપ્પાને ના કહે. પરંતુ એણે તેમને કહી દીધુ અને પપ્પા મારા પર ખૂબ જ ગુસ્સે થયા. પપ્પાએ પણ મને થપ્પડ મારી દીધી અને મને એક રુમની અંદર બંધ કરી દીધી.' પપ્પાએ એ પણ કહ્યુ કે એ મારે ઘરમાંથી બહાર નથી નીકળવાનુ. પછી મે ફિનાઈલ પી લીધુ અને દરવાજો બંધ કરી દીધો. મારા ભાઈએ દરવાજો ખોલ્યો.
કંગના રનૌતે અંજલિને સમજાવી
કંગનાએ અંજલિએ એમ કહીને રોકી કે, 'તમને એક અલગ અનુભવ હોઈ શકે છે પરંતુ જે રીતે તમે આના વિશે વાત કરી રહ્યા છો, આ એક ખોટો સંદેશ મોકલી રહ્યા છે. હું એ અનુભવને સમજુ છુ જેના વિશે તમે વાત કરી રહ્યા છો. ઉત્તર ભારતમાં, આ સંસ્કૃતિ છે. હું પણ આ વિસ્તારમાં મોટી થઈ છુ અને મને આના વિશે બહુ સારી રીતે ખબર છે. મારા કાકાના દીકરાઓ સાથે મારે બહુ બધા ઝઘડા થતા કારણકે એ મારા ઘરે આવીને રિપોર્ટ કરતા હતા કે હું કયાં ગઈ હતી અને મે કોની સાથે કેવો વ્યવહાર કર્યો, ભલે તેમને મારા પરિવાર સાથે કોઈ લેવા-દેવા નહોતુ.'
કંગનાએ કહ્યુ, 'મારા કાકાના દીકરા છોકરીઓને ઘૂરવાનુ...'
કંગના રનૌતે કહ્યુ, 'મારા કાકાના દીકરાઓ છોકરીઓને ઘૂરવા અને તેમનો પીછો કરવા માટે બીજી કૉલેજો પાસે ઉભા હશે પરંતુ જો તેમની કૉલેજના છોકરાઓ અમારી કૉલેજ પાસે આવે તો અમને પીટવામાં આવતા. પરંતુ એ વિચારવા માટે કે તમે જે કર્યુ તેના કારણે તમારા પિતા, ભાઈ અને માએ પોતાની રીતે યોગ્ય કર્યુ. ખોટુ છે, તમે જે કર્યુ એ ખોટુ હતુ. આ નિષ્ક્રિય વર્ચસ્વ છે. તમે ભાગ્યશાળી છો કે તમે જીવિત છો.'
કંગનાએ કહ્યુ - 'હું 8 વર્ષની ઉંમરમાં જ ભાગી જવા માંગતી હતી...'
કંગના રનૌતે એ પણ કહ્યુ કે તે તાત્કાલિક વાતાવરણથી બચવાની ભાવનાને સમજે છે અને આગળ કહ્યુ, 'મે સૌથી પહેલા પોતાની બેગ પેક કરી અને આઠ વર્ષની ઉંમરમાં પોતાના ઘરેથી ભાગવા માંગતી હતી. બધા પાસે આવા વિચાર હોય છે પરંતુ માત્ર નબળા અને કાયર લોકો જ કામ કરે છે.' એપિસોડમાં પૂનમે એ પણ શેર કર્યુ કે તે ઘર પાછી જવાથી ડરી રહી હતી કારણકે તે બિલકુલ એકલી હશે. આ વીકેન્ડ શોમાંથી કોઈ પણ કન્ટેસ્ટન્ટને બહાર કરવામાં આવ્યો નથી.