મલાઈકા અરોરાએ થાઈ પરની ઈજા વિશે ખોલ્યા ચોંકાવનારા રાઝ, કહ્યુ - અમુક ઘા નિશાન છોડી જાય છે કારણકે...
Malaika Arora Injury: બૉલિવૂડ ફિલ્મોના આઈટમ નંબર્સ પર ડાંસ કરીને પોતાનો જાદુ ચલાવનારી અભિનેત્રી મલાઈકા અરોરા હાલમાં જ તેની જાંઘ પર ઈજાને કારણે ચર્ચામાં આવી હતી. તેની જાંઘ પર ઈજાના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા જેના કારણે મલાઈકા લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી.
ફિટનેસ ફ્રીક મલાઈકા અરોરાની આ ઈજાને જોઈને લોકો તેને વિવિધ સવાલો પૂછવા લાગ્યા. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો જેમાં અભિનેત્રીની જાંઘ પર વાદળી રંગનું મોટું નિશાન દેખાઈ રહ્યું હતું. હવે મલાઈકા અરોરાએ આ ઈજાને લઈને પોતાનું મૌન તોડ્યું છે.

મલાઈકા અરોરાની જાંઘ પર ઈજાના નિશાન જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે અનેક સવાલો ઉઠાવ્યા હતા. લોકોએ કહ્યું કે, આ ઈજાને છુપાવવાને બદલે મલાઈકા શા માટે તેને ફ્લોન્ટ કરી રહી છે. તે સમયે મલાઈકા પોતાની ઈજા અંગે મૌન હતી પરંતુ હવે તેણે લોકોના આ સવાલોના જવાબ આપ્યા છે. તેને આ ઈજા કેવી રીતે થઈ તે પણ જણાવ્યું.
હાલમાં જ બૉમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન મલાઈકા અરોરાએ પોતાની ઈજા વિશે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું કે તે એક જગ્યાએ ખૂબ જ ખરાબ રીતે પડી ગઈ હતી. જેના કારણે તેને આટલી ઊંડી ઈજા થઈ હતી અને આ ડાઘ પડ્યા હતા. તેણે કહ્યું- આમાં છુપાવવા જેવું કંઈ નથી. વ્યક્તિને ગમે ત્યારે, ગમે ત્યાં ઈજા થઈ શકે છે. હું લપસી પડી ગઈ હતી અને મને ઈજા પણ થઈ હતી.
મલાઈકા અરોરાએ કહ્યું- હું તેને છુપાવી નહોતી શકતી. જો તેણે આમ કર્યું હોત તો તે વધુ ખરાબ થઈ જાત. તેથી હું શોર્ટસ પહેરતી હતી જેથી તે જલદીથી રિકવર થઈ શકે. મલાઈકાએ આગળ કહ્યું- લોકો પડે છે અને વાગે છે. આપણે બસ ખુદને ફરીથી ઉઠાવતા આવડવુ જોઈએ અને આગળ વધતા રહેવુ જોઈએ. વળી, અમુક ઘા નિશાન નથી છોડતા અને અમુક છોડી જાય છે. આ જ જીવન છે.












Click it and Unblock the Notifications
