અભિનેતા આયુષ્માન ખુરાનાના ઘરમાંથી મળી નોકરની લાશ
મુંબઈ, 4 માર્ચ : ગત વર્ષની હિટ ફિલ્મ વિકી ડૉનર દ્વારા લોકોના હૃદયમાં ઘર બનાવનાર અભિનેતા અને એંકર આયુષ્માન ખુરાનાના ઘરેથી એક મોટા અને માઠાં સમાચાર આવે છે. તેમના ગોરેગાંવ ખાતે આવેલ ઘરમાંથી તેમના નોકરનું કોહવાયેલી લાશ લટકેલી હાલતમાં મળી છે. પોલીસે તેમના નોકરની લાશ શનિવાર સાંજે મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ આયુષ્માનના નોકરની લાશ આયુષ્માનના ઘરમાં પંખા સાથે લટકેલી હાલતમાં મળી આવી છે. નોકરનું નામ શિવ પ્રસાદ હતું. તે આયુષ્માનના ઘરમાં છેલ્લા દસ વરસથી કામ કરતો હતો. શિવ પ્રસાદની ઉંમર લગભગ 26 વર્ષ જણાવાઈ છે. પોલીસના જણાવ્યા મુજબ આ આપઘાતનો કેસ લાગે છે.
આપને જણાવી દઇએ કે અભિનેતા આયુષ્માન ખુરાના અને તેમના પત્ની ગત 17મી ફેબ્રુઆરીથી મુંબઈથી બહાર છે. હાલ તો પોલીસે લાશ પર કબજો મેળવી પોસ્ટમાર્ટમ માટે મોકલી આપી છે અને કેસની તપાસ શરૂ કરી દીધી છે. કહેવાય છે કે આયુષ્માન પોતાની ફિલ્મના શૂટિંગ માટે દિલ્હી ગયેલાં છે, જ્યારે તેમના પત્ની પોતાના માતાના ઘરે ચંડીગઢ ખાતે છે. ઘટનાની માહિતી આયુષ્માનને આપી દેવાઈ છે. સમાચાર છે કે આયુષ્માન અને તેમના પત્ની ટુંકમાં જ મુંબઈ પહોંચવાના છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
