સુશાંત સિંહ રાજપૂત કેસમાં નવો વળાંક, મુંબઈ પોલીસથી ડિલીટ થઈ ગઈ દિશા સાલિયાન સુસાઈડ કેસની ફાઈલ
સુશાંત સિંહ રાજપૂત કેસમાં નવો વળાંક, મુંબઈ પોલીસથી ડિલીટ થઈ ગઈ દિશા સાલિયાન સુસાઈડ કેસની ફાઈલ
સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં દરરોજ કોઈને કોઈ વાત નીકળીને સામે આવી રહી છે અને મુંબઈ પોલીસ પર લોકોનો શક વધી રહ્યો છે. હેવ મુંબઈ પોલીસે જે કર્યુંં છે તે આ કેસમાં કંઈક ગડબડીના શકને પુખ્તા કરે છે. જણાવી દઈએ કે પાછલા એક અઠવાડિયાથી બિહાર પોલીસ પણ આ કેસની પૂછપરછ અને તપાસમાં લાગી છે અને બિહાર પોલીસે મુંબઈ પોલીસ પાસેથી દિશા સાલિયાન આત્મહત્યા કેસની ફાઈલ્સ માંગી.
ટાઈમ્સ નાઉના એક રિપોર્ટ મુજબ મુંબઈ પોલીસે એમ કહીને બધાને ચોંકાવી દીધા કે દિશા સાલિયાનની સુસાઈડ કેસની ફાઈલ ભૂલથી ડિલીટ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂત અને તેની મેનેજર દિશા સાલિયાન, બંનેના સુસાઈડને એકબીજા સાથે કનેક્શન હોવાનું માનવામાં આવી રહ્યુ્ં છે.

બંને આત્મહત્યાનું એતબીજા સાથે કનેક્શન?
ટાઈમ્સ નાઉના એક રિપોર્ટ મુજબ મુંબઈ પોલીસે એમ કહીને બધાને ચોંકાવી દીધા કે દિશા સાલિયાનની સુસાઈડ કેસની ફાઈલ ભૂલથી ડિલીટ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂત અને તેની મેનેજર દિશા સાલિયાન, બંનેના સુસાઈડને એકબીજા સાથે કનેક્શન હોવાનું માનવામાં આવી રહ્યુ્ં છે.

બિહારમાં પણ કેસ થયો
જેનું સૌથી મોટું કારણ છે કે સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહે પોતાની FIRમાં લખાવ્યું છે કે દિશા સાલિયાનની આત્મહત્યા બાદ સુશાંત બહુ ડરી ગયો હતો કે રિયા તેને ફસાવી દેશે.
જે બાદથી જ બિહારમાં કેસ નોંધાયો, બિહાર પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ અને મુંબઈ પોલીસના વલણથી સ્પષ્ટ થઈ ગયું કે આ કેસમાં મુંબઈ પોલીસ બિહાર પોલીસની મદદ કરવા નથી માંગતી.

સુશાંતનો મિસ્ડ કૉલ
અરનબ ગોસ્વામીએ પોતાની ચેનલ પર સ્પષ્ટ સવાલ પૂછતા કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતે આખરી સમયે પોતાના પરિવારને મિસ્ડ કૉલ આપ્યો. આવું કયો માણસ કરે? ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનની એક રાત પહેલા પણ બહુ નજીકના મિત્ર મહેશ શેટ્ટીને ફોન કર્યો હતો. પરંતુ તેનો ફોન ઉઠાવી નહોતો શક્યો.

બિસ્તર ને પંખાની દૂરી
સૌથી મોટો સવાલ જે કેટલીયવાર ઉઠાવવામાં આવી ચૂક્યો છે તે બેડ અને સીલિંગની દૂરી છે જે સુશાંતની હાઈટથી માત્ર એક ઈંચ વધુ છે. મુંબઈ પોલીસે આ થિયરી સ્પષ્ટ કરવાની કોશિશ કરતા સફાઈ આપી હતી કે બિસ્તર અને પંખાની ઉંચાઈ અને સુશાંતની હાઈટમાં ભલે વધુ તફાવત નહોતો પરંતુ પંખો રૂમની વચ્ચે નહોતો. સુશાંત ફંદો બનાવી બિસ્તારના ખુણેથી લટકી ગયો હતો. પરંતુ હાલ આ વાત પર કોઈને વિશ્વાસ નથી થઈ રહ્યો.

આઠ કલાકમાં રિયાની સચ્ચાઈ
મુંબઈ પોલીસે રિયા ચક્રવર્તીની 8 કલાક સુધી પૂછપરછ કરી પરંતુ આ પૂછપરછમાં એ 15 કરોડની વાત ના નીકળી જેનો ઉલ્લેખ સુશાંત સિંહ રાજપૂતના પિતાએ પોતાની FIRમાં કર્યો. જ્યારે સુસાઈડના મામલે જો પૂછપરછ થઈ રહી હતી તો સૌથી પહેલા પૈસાને લઈ પૂછપરછ થવી જોઈતી હતી.

ગળામાં નિશાન પડ્યાં
અરનબ ગોસ્વામીએ પોતાના શોમાં વધુ એક સીધો સવાલ સુશાંત સિંહ રાજપૂતના ગળામાં પડેલા નિશાનને લઈને પૂછ્યો. તેમણે કહ્યું એક્સપર્ટ્સનું કહેવું છે કે કપડામાં લટકવાથી થાય તેવા પ્રકારના આ નિશાન નથી. જેને ક્યારેક ક્યારેક Staged Suicide પણ કહેવાય છે. પરંતુ પોલીસે આ પ્રકારની કોઈ તપાસ કરવાને બદલે 14 જૂને 15 મિનિટમાં નિવેદન કેવી રીતે આપ્યું કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરીને પોતાનો જીવ આપ્યો.

વીડિયો લીકની સચ્ચાઈ
હાલમાં એક વીડિયો લીક થયો છે જે સુશાંતના રૂમમાં પોલીસ પહોંચે તે બાદનો છે. આ વીડિયોમાં સુશાંતનું શરીર બેડ પર ચાદરથી ઢંકાયેલું છે અને પોલીસ એમ કહેતા દેખાઈ રહી છે કે જો આ વીડિયો લીક થયો તો ઈંવેસ્ટિગેશન ખરાબ થઈ જશે. હવે આ વીડિયો પર સતત સવાલો ઉઠી રહ્યા છે.

લીલાવતી કે કૂપર હોસ્પિટલ
સુશાંત સિંહ રાજપૂતના ઘરેથી સૌથી નજીક લીલાવતી હોસ્પિટલ છે. એવામાં તેમને કૂપર હોસ્પિટલે કેમ લઈ જવામાં આવ્યો તે પણ એક સવાલ ઉભો જ છે. આ ઉપરાંત સુશાંત સિંહને લાવનાર એમ્બ્યુલન્સ બદલવાની થિયરી પર પણ કેટલાય લોકો સવાલ ચૂક્યા છે.

રિયાના પલટતા નિવેદન
રિયા ચક્રવર્તીએ સુશા્ંત સિંહ રાજપૂતના મોતના એક મહિના બાદ ટ્વીટ કરી આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી હતી. પરંતુ હવે એજ રિયા સુપ્રીમ કોર્ટમાં કેસને પટનાથી મુંબઈ ટ્રાન્સ કરવાની માંગ કરતી જોવા મળી રહી છે.

પરિવાર પર મુંબઈ પોલીસનું પ્રેશર
સુશાંત સિંહ રાજપૂતના પિતાના વકીલનું કહેવું છે કે પરિવાર પર મુંબઈ પોલીસે સતત પ્રેશર બનાવ્યું કે તેઓ આ કેસમાં કેટલાક મોટા પ્રોડક્શન હાઉસના નામ લે. શું પોલીસ ખરેખર આ તપાસને દિશાહીન કરી થોડા સમય માટે આગળ વધાર્યા બાદ કેસ બંધ કરવા માંગે છે?

પોલીસ શું છૂપાવી રહી છે
હવે પોલીસને સીધો જ સવાલ કરવામાં આવી રહ્યો છે કે આખરે પોલીસ શું છૂપાવી રહી છે. મુંબઈ પોલીસે સુશાંતના પિતાની FIR નોંધાતા પહેલા જ એક ઈમેલ ખુદ રિયા ચક્રવર્તીને લીક કર્યો હતો. આ ઈમેલ સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીએ મુંબઈ પોલીસને લખ્યો હતો પરંતુ મુંબઈ પોલીસે આ ઈમેલ રિયા ચક્રવતી સુધી પહોંચાડ્યો.

40 દિવસથી ઉપર
સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ મામલે પોલીસ 40 દિવસથી વધુ પૂછપરછ કરી રહી છે પરંતુ હજી સુધી પોલીસ સતત એમ જ કહ્યું છે કે તેમનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને વિસરા રિપોર્ટથી સ્પષ્ટ થાય છે કે આ સુસાઈડનો મામલો છે. પરંતુ હવે દેશ માનવા તૈયાર નથી કે સુશાંત સિંહ રાજપૂતે ખરેખર સુસાઈડ કર્યો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
