આરાધ્યા બચ્ચનને લઈને આ શું બોલી ગઈ નિમ્રત કૌર!, અભિષેક બચ્ચન પર લગાવ્યો આરોપ
Nimrat Kaur and Abhishek Bachchan:હાલ બોલિવુડમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના ડિવોર્સ અંગની જે ચર્ચા ચાલી રહી છે, તેનો કોઈ અંત નથી, જો કે, હાલ આ સમાચારની કોઈ પુષ્ટી થઈ નથી. ત્યારે ઘણા રિપોર્ટ મુજબ, બંને જલ્દી જ છૂટાછેડા લેવાના છે.
જે રિપોર્ટ સામે આવી રહ્યા છે તે મુજબ, ઐશ્વર્યા રાય અને બચ્ચન પરિવાર વચ્ચે અંતર વધી ગયુ છે અને બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા રાય વચ્ચેના સબંધો પણ બગડી ચૂક્યા છે. ત્યારે આ પરિસ્થિતિન વચ્ચે અભિષેક બચ્ચનનું એક્સ્ટ્રા મેરિટલ અફેરની ચર્ચાએ પણ જોર પકડ્યુ છે. અભિષેક બચ્ચનનું એક્ટ્રેસ નિમિરત કૌર સાથે
એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલતુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ તમામ સમાચારોની વચ્ચે અભિષેક બચ્ચન અને નિમરત કૌરનો એક જૂનો ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ખરેખર, અભિષેક બચ્ચન અને નિમરત કૌર પોપ્યુલર કોમેડી શો 'ધ કપિલ શર્મા શો'માં તેમની ફિલ્મ 'દાસવી'ના પ્રમોશન માટે ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. અહીં નિમ્રતે આરાધ્યા વિશે એવી વાત કહી જે સાંભળીને અભિષેક બચ્ચન પણ ચોંકી ગયા.

શોના હોસ્ટ કપિલ શર્માએ અભિષેક બચ્ચનને પૂછ્યું હતું કે શું તે આરાધ્યાને તેના હોમવર્કમાં મદદ કરે છે? આના પર અભિષેક પહેલા નિમ્રતે જવાબ આપ્યો અને કહ્યું - તમે આરાધ્યાનું ધ્યાન ભટકાવશો.
જો કે, અભિષેક હસે છે અને કહે છે - મેં એક કે બે વાર આરાધ્યાને તેનું હોમવર્ક કરાવવાનો પ્રયત્ન કર્યો પણ હું તે બરાબર કરી શક્યો નહીં.
આ પછી અભિષેકે પત્ની ઐશ્વર્યા રાયના વખાણ કર્યા અને કહ્યું- ઐશ્વર્યા ખૂબ જ સારી માતા છે. આરાધ્યા તેની સાથે હોમવર્ક કરે છે. ઐશ્વર્યા પણ પોતાની લાડકી દીકરીની દરેક વાતનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. હું તેમના સમર્પણ માટે તેમનો આભાર માનું છું.
તમને જણાવી દઈએ કે વર્ષ 2007માં અભિષેક બચ્ચને પૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા હતા. આ પછી વર્ષ 2011માં બંને એક સુંદર પુત્રી આરાધ્યા બચ્ચનના માતાપિતા બન્યા.












Click it and Unblock the Notifications
