શિલ્પા શેટ્ટીની મા સામે જાહેર થયુ બિન જામીનપાત્ર વૉરન્ટ, જાણો કારણ
ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મા સામે બિનજામીનપાત્ર વૉરન્ટ જાહેર થયુ છે.
મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મા સામે બિનજામીનપાત્ર વૉરન્ટ જાહેર થયુ છે. તેમની સામે આ વૉરન્ટ 21 લાખ રૂપિયાની લોનની ચૂકવણી નહિ કરવાના કેસમાં થયુ છે. અંધેરી કોર્ટના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આરઆર ખાને શિલ્પા શેટ્ટીની મા સામે ગયા સપ્તાહે સમન જાહેર કર્યા હદતા. આ સમન શિલ્પા શેટ્ટીની મા સુનંદા અને બહેન શમિતા શેટ્ટી સામે જાહેર કર્યા હતા. બંને સામે આ નોટિસ બિઝનેસમેન દ્વારા બંને સામે છેતરપિંડી અને લોનની ચૂકવણી નહિ કરવાની ફરિયાદ બાદ જાહેર કરવામાં આવી હતી.

જો કે શિલ્પા શેટ્ટીના પરિવારે કોર્ટની આ નોટિસને સેશન કોર્ટમાં પડકારી છે. સોમવારે સેશન જજ એજે ખાને મેજિસ્ટ્રેટ દ્વારા શિલ્પા શેટ્ટી અને શમિતા શેટ્ટી સામે જાહેર કરેલ નોટિસ પર રોક લગાવી દીધી હતી પરંતુ શિલ્પા શેટ્ટીને કોઈ રાહત આપી નહોતી. કોર્ટે કહ્યુ કે શિલ્પા શેટ્ટીના દિવંગત પિતા સુરેન્દ્ર શેટ્ટી અને સુનંદા પોતાની ફર્મમાં પાર્ટનર હતા પરંતુ લોન બાબતની જ્યાં સુધી વાત છે તો તેમની બંને દીકરીઓ પણ આમાં પાર્ટનર હતી તેના પક્ષમાં કોઈ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા નથી.
તમને જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે મેજિસ્ટ્રેટે સુનંદા શેટ્ટીને કોર્ટમાં હાજર થવામાંથી છૂટ આપવાનો પણ ઈનકાર કરી દીધો હતો. સુનંદા મંગળવારે કોર્ટમાં હાજર થઈ નહોતી ત્યારબાદ કોર્ટે તેની સામે બિનજામીનપાત્ર વૉરન્ટ જાહેર કરી દીધો. પરહદ આમરાએ શેટ્ટી પરિવાર સામે આ કેસ નોંધાવ્યો છે. તેમણે પોતાની ફરિયાદમાં કહ્યુ છે કે સુરેન્દ્ર શેટ્ટીએ તેમની પાસેથી 2015માં પૈસા ઉધાર લીધા હતા, તેમને આ પૈસા જાન્યુઆરી, 2017માં પાછા આપવાના હતા પરંતુ તેમણે આ પૈસા ક્યારેય પાછા આપ્યા નથી.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે











Click it and Unblock the Notifications
