ઈરફાન ખાનની અંતિમ યાત્રામાં માત્ર 20 લોકો, મુંબઈ કબ્રસ્તાનમાં દફનાવાયુ શબ
બૉલિવુડના જાણીતા અભિનેતા ઈરફાન ખાનનુ નિધન થઈ ગયુ છે. તે 53 વર્ષના હતા અને ઘણા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા.
દેશ જે સમયે કોરોના વાયરસ જેવા એક મહાસંકટ સામે ઝઝૂમી રહ્યો છે, એ માયાનગરી મુંબઈથી દિલ તોડનારા સમાચાર સામે આવ્યા છે. પોતાની અદાકારીથી જાદૂ કરનાર અભિનેતા ઈરફાન ખાન આપણને સૌને સદાને માટે છોડીને ચાલ્યા ગયા. બૉલિવુડના જાણીતા અભિનેતા ઈરફાન ખાનનુ નિધન થઈ ગયુ છે. તે 53 વર્ષના હતા અને ઘણા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. ઈરફાન ખાનની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી જેના કારણે તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ઘણા કલાકો સુધી મોત સામે લડ્યા બાદ બુધવારે સવારે તેમનુ મોત થઈ ગયુ.

મુંબઈના વર્સોવા કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યુ ઈરફાન ખાનનુ શબ
ઈરફાન ખાનના મોત બાદ આજે સવારે તેમનુ શબ મુંબઈ સ્થિત કબ્રસ્તાનમાં લાવવામાં આવ્યુ. કોરોના વાયરસ સંકટ વચ્ચે ઈરફાન ખાનના અંતિમ સંસ્કારમાં પરિવારના માત્ર 20 લોકો જ શામેલ થઈ શક્યા. ઘરેથી જ્યારે તેમની અંતિમ યાત્રા નીકળી તો તેમાં કોરોનાના કારણે ઈરફાનના પરિવારના સભ્ય અને ખૂબ જ નજીકના લોકો જ શામેલ થઈ શક્યા. ઈરફાન ખાનના પરિવારના સભ્ય અને ખૂબ જ નજીકના લોકો જ શામેલ થઈ શક્યા. ઈરફાન ખાનના પાર્થિવ શરીરને મુંબઈ, વર્સોવા કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યુ. જે કબ્રસ્તાનમાં ઈરફાન ખાનનુ શબ દફનાવવામાં આવ્યુ તેની બહાર લોકો ઉભેલા જોવા મળ્યા. બપોરે 3 વાગે ઈરફાન ખાનને દફનાવવામાં આવ્યા.

બે-બે વ્યક્તિને અંતિમ દર્શન માટે મોકલવામાં આવ્યા
ઈરફાનના જવાના સમાચાર સાંભળીને આખુ બૉલિવુડ શોકમા ંછે. ઈરફાન ખાનની અંતિમ યાત્રામાં તેમના ફેન્સ શામેલ થવા ઈચ્છતા હતા પરંતુ પોલિસ પ્રશાસને કોરોના વાયરસના કારણે તેમને મંજૂરી આપી નહિ. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા લોકો પણ કબ્ર્સ્તાનની બહાર માસ્ક પહેરેલા જોવા મળ્યા. તેમના પરિવારના લોકોએ તેમના અંતિમ દર્શન માટે 2-2 વ્યક્તિને મોકલવામાં આવ્યા.

20 લોકોની હાજરીમાં દફનાવવામાં આવ્યા
તેમના અંતિમ સંસ્કાર માટે કડક પોલિસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી. કોરોનાના કારણે બૉલિવુડના કલાકારો અને તેમના ફેન્સ અંતિમ યાત્રામાં શામેલ થવાની મંજૂરી ન મળતા તેમની અંતિમ યાત્રામાં માત્ર 20 લોકોને જ શામેલ થવાની મંજૂરી આપવામાં આવી. ખૂબ જ સીમિત લોકોની હાજરીમાં ઈરફાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

2018માં ઈરફાનને ન્યૂરોઈંડોક્રાઈન ટ્યુમર વિશે માલુમ પડ્યુ હતુ
ઉલ્લેખનીય છે કે ઈરફાન ખાનને ન્યૂરોઈંડોક્રાઈન ટ્યુમર થયુ હતુ. માર્ચ 2018માં ઈરફાનને પોતાની બિમારી વિશે માલુમ પડ્યુ. આનો તેમણે લંડનમાં ઈલાજ કરાવ્યો હતો. એપ્રિલ 2019માં ભારત પાછા આવ્યા બાદ ઈરફાને અંગ્રેજી મીડિયમ, ફિલ્મનુ શૂટિંગ કર્યુ હતુ. મૂળ રાજસ્થાનના રહેવાસી ઈરફાન નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાના છાત્ર રહી ચૂક્યા છે. નાના પડદે તેમણે ભારત એક ખોજમાં પણ કામ કર્યુ હરતુ. ત્યારબાદ તે ફિલ્મોમાં જોવા મળ્યા. મકબૂલ, લાઈફ ઈન એ મેટ્રો, ધ લંચ બૉક્સ, પીકૂ, હિંદી મીડિયમ, હાસિલ, પાન સિંહ તોમર જેવી ફિલ્મોએ તેમને એક અલગ મુકામ આપ્યુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
