ભારત એક ખોજ-તમસના મ્યૂઝિક કમ્પોઝર વનરાજ ભાટિયાનુ 93 વર્ષની વયે નિધન
પદ્મશ્રી અવૉર્ડ વિજેતા મ્યૂઝિક કમ્પોઝર વનરાજ ભાટિયાનુ શુક્રવારે 93 વર્ષની વયે નિધન થયુ છે.
નવી દિલ્લીઃ પદ્મશ્રી અવૉર્ડ વિજેતા મ્યૂઝિક કમ્પોઝર વનરાજ ભાટિયાનુ શુક્રવારે 93 વર્ષની વયે નિધન થયુ છે. જાણીતા મ્યૂઝિશિયન વનરાજ છેલ્લા ઘણા સમયથી તેઓ શારીરિક અને આર્થિક મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહ્યા હતા. અહેવાલો મુજબ છેલ્લા અમુક મહિનાઓમાં તેમની હાલત વધુ ખરાબ થઈ હતી અને છેવટે તેઓ મૃત્યુ પામ્યા. લિજેન્ડરી કમ્પોઝરને 1988માં બનેલી ગોવિંદ નિહલાનીની તમસ માટે શ્રેષ્ઠ મ્યૂઝિક માટે રાષ્ટ્રીય ફિલ્મ અવૉર્ડ મળ્યો હતો. 2012માં વનરાજ ભાટિયાને પદ્મશ્રી અવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા.

વનરાજ ભાટિયાએ મંથન, ભૂમિકા, જાને ભી દો યારો,, 36 Chaurangi Lane, જૂનુન જેવી ફિલ્મો માટે મ્યૂઝિક કમ્પોઝ કર્યુ છે. ભારત એક ખોજ અને તમસ જેવા ટીવી શો માટે પણ તેમણે મ્યૂઝિક કમ્પોઝ કર્યુ. તેમને વેસ્ટર્ન ક્લાસિકલ મ્યૂઝિકના સૌથી મોટા કમ્પોઝર કહેવામાં આવે છે. 1988માં ટીવી શો તમસ માટે તેમને નેશનલ અવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેઓ આર્થિક તંગી અને ઉંમર સંબંધી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે ઘરનો સામાન પણ વેચવા કાઢ્યો હતો. તેઓ સિંગલ હતા અને સાઉથ મુંબઈના ઘરમાં એકલા રહેતા હતા. અભિનેતા કબીર બેદીએ તેમની મદદ કરી હતી. વનરાજે લગભગ 7000 જિંગલ કમ્પોઝ કર્યા છે.
તેમણે શ્યામ બેનેગલીની ફિલ્મોના મ્યૂઝિક માટે જાણીતા હતા. તેમણે ઘણી ફિલ્મો માટે બેકગ્રાઉન્ડ સ્કોર અને ઘણા ટીવી શો માટે ઓપનિંગ ટાઈટલ બનાવ્યા. તેમનો જન્મ મુંબઈમાં થયો. તેમણે રૉયલ એકેડમી ઑફ મ્યૂઝિક લંડન અને પેરિસ કંજરવેટ્રીથી તેમણે અભ્યાસ કર્યો. તેમણે શમ્મી કપૂરની ફિલ્મ દિલ દેકે દેખોથી મ્યૂઝિકની શરૂઆત કરી હતી. તેમની છેલ્લી ફિલ્મ વર્ષ 2000માં સરદારી બેગમ અને હરી ભરી હતી.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
