ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ થતા પાયલ રોહતગીઃ ના ગાળ દીધી, ના અપશબ્દો કહ્યા, તો આવુ કેમ થયુ?
પોતાના વિવાદિત નિવેદનો માટે ચર્ચામાં રહેતી મૉડલ અભિનેત્રી પાયલ રોહતગીનુ ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યુ છે.
પોતાના વિવાદિત નિવેદનો માટે ચર્ચામાં રહેતી મૉડલ અભિનેત્રી પાયલ રોહતગીનુ ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યુ છે. જેના માટે પાયલ રોહતગીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. પાયલે આ વિશે પોતાના એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં તેણે પોતાના ફેન્સને અપીલ કરી છે કે તેઓ તેનુ અકાઉન્ટ ચાલુ કરવાની વિનંતી કરે, આ જે થયુ તે યોગ્ય નથી.
પાયલ રોહતગીનુ ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ
વીડિયોમાં પાયલ રોહતગી ઘણી નારાજ દેખાઈ રહી છે. તેણે કહ્યુ કે હજુ અડધા કલાક પહેલા મને ખબર પડી કે મારુ ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યુ છે. તે પણ કોઈ કારણ જણાવ્યા વિના. મને આ વિશે ના કોઈ ફોન, ના મેસેજ અને ના મેઈલ દ્વારા જણાવવામાં આવ્યુ છે. ના મે કોઈને ગાળ દીધી છે અને ના મે કોઈના માટે અપશબ્દો કહ્યા છે, પછી આવુ કેમ થયુ?
|
હું ફેક્ટ દ્વારા મારી વાત કહુ છુ
હું માત્ર ફેક્ટ દ્વારા મારી વાત કહૂ છુ પરંતુ અમુક પ્રભુત્વવાદી લોકોના કારણે મારુ અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યુ છે. હું તમને લોકોને અપીલ કરુ છુ કે તમે લોકો મારુ ટ્વિટર અકાઉન્ટ ચાલુ કરવા માટે વાત કરો, નહિતર હું તમારી સાથે વાત નહિ કરી શકુ.
ગયા મહિને પણ થયુ હતુ અકાઉન્ટ સસ્પેન્ડ
તમને જણાવી દઈએ કેગયા મહિને પણ પાયલ રોહતગીનુ ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ થયુ હતુ કારણકે તેણે દિલ્લી હિંસા બાબતે પકડાયેલ જામિયા મિલિયા ઈસ્લામિયા ઈસ્લામિયાની એમફિલ છાત્રા સફૂરા જરગર વિશે ટિપ્પણી કરી હતી. ત્યારબાદ ટ્વિટર પર ઘણો હોબાળો થયો હતો અને તેમનુ અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યુ હતુ.
લૉ સ્ટુડન્ટની અરજી, 'થિયેટરમાં રિલીઝ થાય સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ દિલ બેચારા'