ઈરફાન ખાનના નિધન પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ કહ્યુ - સિનેમાની દુનિયા માટે મોટી ખોટ
ઈરફાન ખાનના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે.
બૉલિવુડના જાણીતા અભિનેતા ઈરફાન ખાનનુ મુંબઈ સ્થિત કોકિલાબેન હોસ્પિટલમાં બુધવારે નિધન થઈ ગયુ છે. તેમણે માત્ર 53 વર્ષની ઉંમરે જ દુનિયાને અલવિદા કહી દીધુ. ઈરફાન ખાનના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યુ કે ઈરફાન ખાનનુ નિધન સિનેમા અને રંગમંચની દુનિયા માટે એક મોટી ખોટ છે. તેમને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર અને દોસ્તો પ્રત્યે ખૂબ સંવેદના.
પ્રધાનમંત્રીએ શું કહ્યુ?
પ્રધાનમંત્રીએ ટ્વિટમાં લખ્યુ, 'ઈરફાન ખાનનુ નિધન સિનેમા અને રંગમંચની દુનિયા માટે એક મોટી ખોટ છે. તેમણે હંમેશા તેમની વર્સેટાઈલ પર્ફોર્મન્સ માટે યાદ કરવામાં આવશે. તેમના પરિવાર, દોસ્તો અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદનાઓ. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.'
વીડિયો કૉન્ફરન્સિંગથી માના અંતિમ દર્શન કર્યા હતા
તમને જણાવી દઈએ કે ઈરફાન ખુદ કેન્સરનો ઈલાજ કરાવીને થોડા સમય પહેલા વિેદેશથી પાછા આવ્યા હતા. લૉકડાઉનમાં ઘરેથી દૂર હોવાના કારણે તેમણે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા પોતાની માના અંતિમ દર્શન કર્યા હતા. ઈરફાન ખાનના નિધન વિશે અધિકૃત નિવેદન પણ જારી કરવામાં આવ્યુ છે. આમાં લખવામાં આવ્યુ છે - મને વિશ્વાસ છે કે હું સરેન્ડર કરી ચૂક્યો છુ. આ અમુક શબ્
અંગ્રેજી મીડિયમ છે છેલ્લી ફિલ્મ
બૉલિવુડના ટેલેન્ટેડ અભિનેતાઓમાં શામેલ ઈરફાન ખાન આમ અચાનક જતા રહેતા ફેન્સ બૉલિવુડ સેલેબ્ઝ શોકમાં છે. બે વર્ષ પહેલા માર્ચ 2018માં ઈરફાનને ન્યૂરો ઈંડોક્રાઈન ટ્યુમર નામની બિમારી વિશે માલુમ પડ્યુ હતુ. વિદેશથી આ બિમારીનો ઈલાજ કરાવીને ઈરફાન ખાન રિકવર થઈ ગયા હતા. ત્યારબાદ તે ભારત પાછા આવ્યા હતા અને અંગ્રેજી મીડિયમમાં કામ કર્યુ. આ ફિલ્મ ઈરફાનની જિંદગીની છેલ્લી ફિલ્મ હતી.
આ
પણ
વાંચોઃ
દુનિયાને
અલવિદા
કહેતા
પહેલા
ઈરફાન
ખાનનો
છેલ્લો
મેસેજ,
ભાવુક
થઈને
લખી
આ
ચિઠ્ઠી