મિલન ટૉકીઝમાં પોતે હોવા અંગે અજાણ પ્રિયંકા ચોપરા
મુંબઈ, 31 ઑગસ્ટ : બૉલીવુડ અભિનેતા પ્રિયંકા ચોપરા મિલન ટૉકીઝમાં પોતાના હોવા અંગે અજાણ છે. તેમણે જણાવ્યું કે તેઓ નથી જાણતાં કે ફિલ્મ સાથે શું થઈ રહ્યું છે.
ચર્ચા એમ છે કે તિગ્માંશુ ધુલિયા દિગ્દર્શિત મિલન ટૉકીઝ ફિલ્મમાં 31 વર્ષીય પ્રિયંકા ચોપરા શાહિદ કપૂર સાથે અભિનય કરવાના છે. ફિલ્મના નિર્માતા એકતા કપૂર છે. બીજી બાજુ પ્રિયંકા ચોપરા પોતે જ નથી જાણતાં કે તેઓ ફિલ્મમાં છે.
પ્રિયંકાએ જણાવ્યું - હું નથી જાણતી કે મિલન ટૉકીઝ સાથે શું થઈ રહ્યું છે. મેં અત્યાર સુધી એકતા કપૂર સાથે વાત કરી નથી. એકતા અને તિગ્માંશુ ધુલિયાએ ડોઢ વરસ અગાઉ સ્ક્રિપ્ટ અંગે વાત કરી હતી. તે પછીની ફિલ્મની પ્રગતિ અંગે મને જાણ નથી. મારે ફિલમ અંગે હજી તેમની સાથે ચર્ચા-વિચારણા કરવાની બાકી છે.
દરમિયાન પ્રિયંકા ચોપરા મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અભિનીત 1973ની ઝંજીર ફિલ્મની રીમેકમાં દેખાવાનાં છે. અપૂર્વ લાખિયા દિગ્દર્શિત આ ફિલ્મ 6ઠી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં દક્ષિણના અભિનેતા રામ ચરણ તેજા પ્રિયંકા ચોપરા સાથે મુખ્ય ભૂમિકામાં છે.