રાજકુમાર રાવની ફિલ્મની ઓસ્કાર એન્ટ્રીથી પ્રિયંકા છે નારાજ?
ફિલ્મ 'ન્યૂટન' ઓસ્કાર 2018 માટે પસંદગી પામતી પ્રિયંકા ચોપરા નારાજ છે. માત્ર પ્રિયંકા જ નહીં, તેની માતા મધુ ચોપરા પણ આ વાતે નારાજ છે. જાણો શા માટે?
રાજકુમાર રાવની લેટેસ્ટ ફિલ્મ 'ન્યૂટન' રિલીઝના પહેલા દિવસે જ છવાઇ ગઇ હતી. લોકતંત્રના પાઠ ભણાવતી આ ફિલ્મને રિલીઝના દિવસે જ ભારત તરફથી ઓસ્કાર 2018 માટે મોકલવામાં આવી હતી. પરંતુ ઇન્ડિયન ગ્લોબલ સેલિબ્રિટી પ્રિયંકા ચોપરા આ વાતથી ખાસ ખુશ નથી.

શા માટે નારાજ છે પ્રિયંકા?
મળતા અહેવાલો અનુસાર, પ્રિયંકાને વિશ્વાસ હતો કે, ઓસ્કાર માટે તેના બેનરની ફિલ્મ 'વેન્ટિલેટર'ની પસંદગી કરવામાં આવશે અને ઓસ્કારની પ્રિ-સિલેક્શન માટે તેણે એક્શન પ્લાન પણ તૈયાર કરી રાખ્યો હતો. ન્યૂ યોર્ક ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મ રજૂ થઇ ત્યારે ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું અને પ્રિયંકાને પૂરો વિશ્વાસ હતો કે ઓસ્કાર માટે આ ફિલ્મ સિલેક્ટ થશે

કોન્ફિટન્ડ હતી પ્રિયંકા
વેન્ટિલેટરના ડાયરેક્ટર રાજેશ મહાપુસ્કરે આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, ઓસ્કાર માટે 'વેન્ટિલેટર' ફિલ્મની પસંદગી ન થતાં પ્રિયંકા વધુ અપસેટ થઇ હશે, કારણે કે તે આ ફિલ્મને લઇને વધુ મહાત્વાકાંક્ષી હતી. પ્રિયંકા હોલિવૂડમાં સારુ એવું નામ બનાવી ચૂકી છે, ત્યારે જો આ ફિલ્મની ઓસ્કર માટે પસંદગી થઇ હોત, તો તે તેના પ્રચારમાં કોઇ ખોટ ન રહેવા દેત.

મધુ ચોપરાને પણ હતી ખાતરી
મધુ ચોપરા સાથે થેયલ તેમની વાતને યાદ કરતાં રાજેશે આગળ જણાવ્યું હતું કે, મેં તેમને ચિંતા ન કરવા જણાવ્યું હતું, કારણ કે મને પણ ખાતરી હતી કે અમારી ફિલ્મ સિલેક્ટ થશે જ. પરંતુ ત્યાર પછીના દિવસે જ્યારે અમને ફિલ્મની પસંદગી અંગે જાણ થઇ ત્યારે અમે થોડા ડિસપોઇન્ટ થયા હતા.

મરાઠી ફિલ્મ 'વેન્ટિલેટર'
જો પ્રિયંકા ચોપરાના બેનરની 'વેન્ટિલેટર' ફિલ્મ ઓસ્કાર માટે પસંદગી પામી હોત તો તેનાથી હોલિવૂડમાં પ્રિયંકાના કરિયરને પણ ઘણો મોટો ફાયદો થયો હતો. 'વેન્ટિલેટર' એક મરાઠી ફિલ્મ છે, જે 2016માં રિલીઝ થઇ હતી અને તેનું બોક્સ ઓફિસ કલેક્શન પણ પ્રમાણમાં ઘણું સારુ રહ્યું હતું.

ઓસ્કારમાં પ્રિયંકા
પ્રિયંકા ચોપરા આમ તો હંમેશા બોલિવૂડની સારી ફિલ્મો અને એક્ટર્સને પ્રોત્સાહિત કરતી જ જોવા મળે છે, પરંતુ તેની ફિલ્મની ઓસ્કાર એન્ટ્રી એક રીતે તેના માટે પ્રેસ્ટિજનો સવાલ પણ બની કહેવાય, કારણ તે વર્ષ 2016 અને 2017માં ઓસ્કાર ઇવેન્ટ અટેન્ડ કરી ચૂકી છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
