ફુકરેની સફળતાથી ‘પુલકિત’ કેમ નથી પુલકિત?
મુંબઈ, 6 જુલાઈ : ફુકરેની સફળતા બાદ દર્શકોની વધેલી અપેક્ષાઓ તથા દબાણના પગલે અભિનેતા પુલકિત સમ્રાટ ટેંશનમાં આવી ગયાં છે. મૃગદીપ સિંહ લાંબા દિગ્દર્શિત ફુકરેમાં મનોજ સિંહ, અલી અફઝલ, રીચા ચડ્ઢા તથા વિશાખા સિંહ મુખ્ય ભૂમિકામાં હતાં.

બિગ બૉસ દ્વારા પોતાના અભિનય કૅરિયર શરૂ કરનાર પુલકિત સમ્રાટે એક વાતચીત દરમિયાન જણાવ્યું - હું એ વાતથી ખૂબ જ તાણમાં છું કે હવે લોકો અમારી પાસે વધુ આ શાઓ સેવવા લાગ્યાં છે. અમે સૌ ફુકરે ફિલ્મની સફળતાથી બહુ ખુશ છીએ અને પોતાની ઉપર આવી પડેલી જવાબદારી સમજીએ છીએ. અમે માત્ર પ્રામાણિક હોવાનો અને આગળ પણ પ્રામાણિકતા તેમજ મજાનું કામ કરવાનો વાયદો કરીએ છીએ.
ફરહાન અખ્તર નિર્મિત ફુકરેમાં પૂર્વી દિલ્હીના યુવાન હનીનો રોલ કરનાર પુલકિત સમ્રાટનું કહેવું છે - પૂર્વી દિલ્હીના યુવાનની ઝીણવટો સમજવી મારા માટે મુશ્કેલ હતું. વિચારતાં આ રોલ સરળ હતો, કારણ કે મને ફુકરેનો અર્થ ખબર હતો, પરંતુ બીજી તરફ ભાષા અને શારીરિક હાવભાવના દૃષ્ટિકોણે આ રોલ ભજવવો બહુ મુશ્કેલ હતો મારા માટે, કારણ કે તમામ પાત્રો પૂર્વી દિલ્હીના હતાં અને સૌની બોલવાની રીત જુદી હતી. તેથી મારા માટે તે પકડવી શકવું બહુ મુશ્કેલ હતું. જોકે અમે સૌએ માત્ર દિગ્દર્શકનું માન્યું અને તેથી અમે તે સરળતાતથી કરી શક્યાં.
પુલકિત સમ્રાટ ટુંકમાં જ અતુલ અગ્નિહોત્રીની ફિલ્મ ઓ તેરીમાં નજરે પડવાનાં છે.












Click it and Unblock the Notifications
