'દ્રૌપદી રાષ્ટ્રપતિ છે તો પાંડવ કોણ છે?', રામ ગોપાલ વર્માના નિવેદન પર થયો હોબાળો, હવે માફી માંગીને કહી આ વાત
'જો દ્રૌપદી રાષ્ટ્રપતિ છે તો પાંડવ કોણ છે? અને એનાથી મહત્વપૂર્ણ વાત એ છે કે કૌરવ કોણ છે?' આ ટ્વીટ બૉલિવૂડ ફિલ્મ ડાયરેક્ટર રામ ગોપાલ વર્માએ કર્યુ છે.
નવી દિલ્લીઃ 'જો દ્રૌપદી રાષ્ટ્રપતિ છે તો પાંડવ કોણ છે? અને એનાથી મહત્વપૂર્ણ વાત એ છે કે કૌરવ કોણ છે?' આ ટ્વીટ બૉલિવૂડ ફિલ્મ ડાયરેક્ટર રામ ગોપાલ વર્માએ કર્યુ છે. રામ ગોપાલ વર્માના આ ટ્વિટ પર ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર વાંધો ઉઠાવ્યો છે. તેલંગાનાના ભાજપ નેતા ગુદુર નારાયણ રેડ્ડીએ NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે વિવાદ થયા બાદ હવે રામ ગોપાલ વર્માએ પોતાના ટ્વિટ પર માફી માંગી છે અને સ્પષ્ટતા કરી છે.

રામ ગોપાલ વર્માએ સફાઈમાં કહ્યુ - મારો ઈરાદો કોઈને...
"જો દ્રૌપદી રાષ્ટ્રપતિ છે તો પાંડવો કોણ છે? અને સૌથી અગત્યનુ, કૌરવો કોણ છે?" આ ટ્વીટ પર સ્પષ્ટતા આપતા રામ ગોપાલ વર્માએ ફરી એક ટ્વિટ કર્યુ છે. ટ્વીટમાં સ્પષ્ટતા કરતા તેમણે કહ્યુ કે આ નિવેદન માત્ર ગંભીર વિડંબના તરીકે આપવામાં આવ્યુ હતુ. અન્ય કોઈપણ રીતે કોઈને નારાજ કરવાનો ઈરાદો નહોતો. મહાભારતમાં દ્રૌપદી મારુ પ્રિય પાત્ર છે, પરંતુ નામ ખૂબ જ દુર્લભ હોવાથી મને તેના પાત્રો અને તેની સાથે સંબંધિત વસ્તુઓ યાદ આવી ગઈ. કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો બિલકુલ ઈરાદો નહોતો.

ભાજપ નેતાએ કહ્યુ - આ એસસી-એસટી માટે અપમાન છે
રામ ગોપાલ વર્માના ટ્વીટનો જવાબ આપતા, તેલંગાનાના ભાજપ નેતા ગુદુર નારાયણ રેડ્ડીએ આબિદ રોડ પોલીસ સ્ટેશનમાં ફિલ્મ ડિરેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. આરોપ લગાવ્યો કે તેણે એસસી અને એસટી સમાજનુ અપમાન કર્યુ છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા રેડ્ડીએ કહ્યુ, "આ ટ્વીટ SC અને ST લોકોનુ અપમાન કરવા સમાન છે. અહીં તેઓ રાષ્ટ્રપતિ તરીકે 'દ્રૌપદી'નો ઉલ્લેખ કરે છે. જો તેમણે દ્રૌપદી, પાંડવો અને કૌરવોનો અલગ-અલગ ઉલ્લેખ કર્યો હોત તો અમને વાંધો ન હોત. ભાજપના કાર્યકર રામ ગોપાલના નિવેદનથી અમને દુઃખ થયુ છે.

'રામ ગોપલ વર્મા સામે કડક કાર્યવાહી થશે'
રામ ગોપાલ વર્માના નિવેદનો પર ગુસ્સો વ્યક્ત કરતા ભાજપ નેતા ગુદુર નારાયણ રેડ્ડીએ કહ્યુ, "અહીં આ કેસમાં પોલીસે અમને વચન આપ્યુ છે કે તેઓ રામ ગોપાલ વર્મા વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે અને તે પછી મને નથી લાગતુ કે તે ફરીથી ગમે તે ટ્વીટ કરીશ કે આવુ કંઈ પણ બોલશે. કોઈની સામે વાંધાજનક નિવેદન કરવું યોગ્ય નથી." ભાજપના નેતાએ ફરિયાદ સાથે પુરાવા તરીકે ટ્વિટ પણ પોલીસને સોંપ્યુ છે.

દ્રૌપદી મુર્મૂ પહેલા આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ ઉમેદવાર
ભાજપના નેતૃત્વ હેઠળના NDAએ મંગળવારે આગામી ચૂંટણી માટે તેના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ઝારખંડના ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુના નામની જાહેરાત કરી છે. દ્રૌપદી મુર્મૂ ભારતના ઇતિહાસમાં પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. એકવાર ચૂંટાયા પછી તેઓ ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ અને બીજા મહિલા રાષ્ટ્રપતિ હશે. આ ઉપરાંત તેઓ ઓરિસ્સા રાજ્યમાંથી આવનાર પ્રથમ રાષ્ટ્રપતિ બની શકે છે.

'દારુના નશામાં કર્યુ હશે રામ ગોપાલ વર્માએ ટ્વિટ'
ગોશામહાલ વિધાનસભાના ભાજપ ધારાસભ્ય ટી રાજા સિંહે પણ NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ વિરુદ્ધ રામ ગોપાલ વર્માની ટિપ્પણી પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. ધારાસભ્ય ટી રાજા સિંહે કહ્યુ કે, 'રામ ગોપાલ વર્માએ દારૂના નશામાં આ ટ્વિટ કર્યુ હોવુ જોઈએ. વર્મા હંમેશા આવા વિવાદાસ્પદ નિવેદનો કરીને સમાચારમાં રહેવાનો પ્રયાસ કરે છે.'

હંમેશા વિવાદિત નિવેદનો આપે છે રામ ગોપાલ વર્મા
જો કે, આ પહેલીવાર નથી જ્યારે રામ ગોપાલ વર્મા સોશિયલ મીડિયા પર વિવાદોનો ભાગ બન્યા હોય. એપ્રિલ 2022માં દિગ્દર્શકે અજય દેવગણ અને કિચ્ચા સુદીપ વચ્ચે હિન્દી રાષ્ટ્રભાષા છે કે નહિ તે અંગેની ટ્વિટર ચર્ચા પર પણ ટિપ્પણી કરી હતી. દિગ્દર્શક રામ ગોપાલ વર્મા એ કહીને વિવાદમાં આવી ગયા કે બૉલિવૂડ સ્ટાર્સ સાઉથની ફિલ્મોથી અસુરક્ષિત છે અને દક્ષિણ ભારતીય કલાકારોની ઈર્ષ્યા કરે છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
