કેવી સગાઈ, ફાલતુ વાત ના કરો, સીધી રીતે સવાલ પૂછો...
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પોતાના લગ્નની ચર્ચાથી પરેશાન થઇ ચુક્યા છે એટલે તેમને આખરે મીડિયા પાર ગુસ્સો ઉતારી જ દીધો. હાલમાં જ બનેં ઇરફાન ખાનની ફિલ્મ મદારીની સ્ક્રીનિંગમાં સાથે જોવા મળ્યા અને મીડિયાએ ફરીથી તેમને એ જ સવાલો પૂછ્યા.

આ વાત પાર રણવીર સિંહ ચૂપના રહ્યા અને તેમને દીપિકાને કહ્યું કે ચાલો જઈએ હવે અહીંથી. દીપિકા પાદુકોણે બધાને જ બાય કહ્યું અને ત્યાંથી નીકળી ગયી. એક મીડિયાવાળાને જતા જતા રણવીર સિંહએ કહ્યું કે ફાલતુની વાત ના કરો. એક તો સારી ફિલ્મ જોયી છે તો તેની તો ઇઝ્ઝત કરી લો.

ત્યારબાદ રણવીર સિંહએ પોતાનો ગુસ્સો શાંત કર્યો અને દીપિકાને ગાડી સુધી મૂકીને પાછા આવ્યા. રણવીર સિંહએ બધાને રિકવેસ્ટ કરી કે એક સારી ફિલ્મ જોયી છે. તેની આદર કરો અને ફાલતુનો સવાલ ના પૂછો.

એક દિવસ પહેલા પણ દીપિકા પાદુકોણ એક ઇવેન્ટમાં આ સવાલથી ખૂબ જ ગુસ્સે થઇ ગયી હતી અને જવાબ આપ્યો હતો કે તે ગર્ભવતી નથી, તેના લગ્ન પણ નથી થયા અને તેની સગાઈ પણ હજુ સુધી થઇ નથી.

આજકાલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને વારંવાર એક જ સવાલ પૂછવામાં આવે છે કે તેમના લગ્ન ક્યારે છે? શુ તેમની સગાઈ થઇ ચુકી છે? અફવાહો તો એ પણ ઉડી હતી કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણએ જાન્યુઆરીમાં ગુપચુપ સગાઈ કરી લીધી છે. બસ ત્યારથી બધા આ જ સવાલ પૂછી રહ્યા છે.












Click it and Unblock the Notifications
