Ranya rao gold case : કોણ છે સોનાની દાણચોરીના આરોપમાં પકડાયેલી કન્નડ અભિનેત્રી રાન્યા રાવ?
Ranya rao gold case : કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી રાન્યા રાવ સોનાની દાણચોરીના કેસમાં ફસાઈ છે. 3 માર્ચે ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ તેની ધરપકડ કરી હતી.
કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (KIA) પર સોનાની દાણચોરીના આરોપમાં તેણીની ધરપકડ કરવામાં આવ્યા બાદ અદાલતે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી છે.

રાન્યા રાવ કોણ છે?
રન્યા રાવ કર્ણાટકના ચિકમગલુર જિલ્લાના વતની છે. તે પોલીસ મહાનિર્દેશક (પોલીસ હાઉસિંગ કોર્પોરેશન) રામચંદ્ર રાવની પુત્રી છે. તેણીએ બેંગલુરુની દયાનંદ સાગર કોલેજ ઑફ એન્જિનિયરિંગમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે.
અભિનેત્રીના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણીએ વર્ષ 2014માં સુદીપ દ્વારા દિગ્દર્શિત અને અભિનિત કન્નડ ફિલ્મ માણિક્યથી અભિનયની શરૂઆત કરી હતી.
આ પછી અભિનેત્રીએ વિક્રમ પ્રભુ સાથે 2016 માં આવેલી ફિલ્મ વગાહા સાથે તમિલ સિનેમામાં પ્રવેશ કર્યો. 2017 માં અભિનેત્રી પતાકી સાથે કન્નડ સિનેમામાં પાછી ફરી અને અભિનેતા ગણેશની સામે પત્રકારની ભૂમિકા ભજવી.
સોનાની દાણચોરીનો કેસ
DRIએ 3 માર્ચે રાન્યાની અટકાયત કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તેણી છેલ્લા 15 દિવસમાં ચાર વખત દુબઈ ગઈ હતી, જેના પગલે DRIએ તેની હિલચાલ પર નજર રાખી.
એજન્સી 3 માર્ચે રાન્યાના આગમનના બે કલાક પહેલા એરપોર્ટ પર હાજર રહી હતી. રાન્યાની સાંજે 7 વાગ્યે અટકાયત કરવામાં આવી.
પોલીસને તપાસમાં અભિનેત્રી પાસેથી 14.8 કિલો સોનું મળી આવ્યુ છે. આ સોનું તેણી દુબઈથી અમીરાતની ફ્લાઈટ દ્વારા ભારત લાવી હતી. હવે એજન્સી તપાસ કરી રહી છે કે અભિનેત્રી રાન્યા એકલી જ સોનાની દાણચોરી કરી રહી છે કે કે કોઈ મોટા નેટવર્કનો ભાગ છે.
હવે તપાસની આગળની દિશા અને રાન્યાની સંડોવણી પર વધુ ખુલાસા આવવાની સંભાવના છે. હાલ રાન્યા રાવ કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટી ચર્ચાનો વિષય બની છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
