Salman Khan Firing Case: શૂટર્સ વિશે મોટો ખુલાસો, મંદિરમાં ભક્ત બનીને ગઈ ક્રાઈમ બ્રાન્ચ અને પછી...
Salman Khan Firing Case: સલમાન ખાનના ગેલેક્સી અપાર્ટમેન્ટની બહાર ફાયરિંગના સમાચારે બધાને હચમચાવી દીધા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ અભિનેતા સાથે ફોન પર વાત કરી અને બાદમાં તેમને મળ્યા. તેમણે અભિનેતાને સુરક્ષાની ખાતરી પણ આપી અને આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવા જણાવ્યું.
ગોળીબારના એક દિવસ બાદ આરોપીઓ ક્રાઈમ બ્રાંચની ટીમના હાથે ઝડપાઈ ગયા હતા. હવે ક્રાઈમ બ્રાન્ચે પકડાયેલા બે શૂટરોને લઈને વધુ એક મોટો ખુલાસો કર્યો છે.

બે શૂટરોને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની ડઝનેક ટીમો એકઠી થઈ હતી. આ પછી બંનેની ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરવામાં આવી હતી. બાઇકની ઓળખ કર્યા બાદ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. જો કે, આ શૂટર્સને પકડવાનું એટલું સરળ નહોતું. ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે બંનેને કેવી રીતે અને ક્યાંથી પકડ્યા.
તમને જણાવી દઈએ કે ક્રાઈમ બ્રાંચની ટીમ ભક્તોના વેશમાં અને સામાન્ય વસ્ત્રો પહેરીને મંદિર પહોંચી હતી. જેથી સાગર અને વિકી નામના આ શૂટરોને શંકા ન જાય કે પોલીસ તેમની ધરપકડ કરવા ત્યાં પહોંચી હતી. આ પછી ટીમે જોયું કે બંને શૂટર મંદિરની પાસે એક ખૂણામાં સૂઈ રહ્યા છે.
આ પછી પોલીસે દરોડો પાડી બંનેની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે એવો પણ ખુલાસો કર્યો છે કે આ બંનેનો ઈરાદો સલમાન ખાનની હત્યા કરવાનો હતો. ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, પોલીસ કમિશનરે જણાવ્યું કે કેવી રીતે તેમણે આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લીધો અને તેને ક્રાઈમ બ્રાન્ચની ટીમને સોંપ્યો.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
