Samantha-Naga: ડિવૉર્સના 2 વર્ષ પછી ફરીથી થયુ સામંથા અને નાગા ચૈતન્યનુ પેચઅપ? એક પોસ્ટથી મચ્યો હોબાળો
Samantha And Naga Patchup: એક સમય એવો હતો જ્યારે સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યની ગણના સાઉથ ઈન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ કપલ્સમાં થતી હતી. પરંતુ વર્ષ 2021માં આ કપલે છૂટાછેડાની જાહેરાત કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. સાઉથના આ કપલના અલગ થવાથી દરેક લોકો પરેશાન હતા.
સામંથાએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી પૂર્વ પતિ નાગા સાથેના ફોટા પણ હટાવી દીધા હતા. પરંતુ હવે અભિનેત્રીએ કંઈક એવું કર્યું કે ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે બંને ટૂંક સમયમાં ફરીથી સાથે થવાના છે.

સાઉથ એક્ટર નાગા ચૈતન્ય આ દિવસોમાં પોતાના બીજા લગ્નને લઈને સતત ચર્ચામાં છે. સામંથાથી અલગ થયા બાદ હવે તે પોતાના જીવનમાં આગળ વધવા માંગે છે. તેણે 2 ઓક્ટોબર 2021ના રોજ સામંથાથી છૂટાછેડા લીધા હતા. પરંતુ હવે છૂટાછેડાના બે વર્ષ પછી, અભિનેત્રીએ નાગા સાથેની તેની ઘણી તસવીરો અનઆર્કાઇવ કરી છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
આ પહેલા સામંથા રૂથ પ્રભુના ઈન્સ્ટાગ્રામ પરથી નાગા સાથેની કેટલીક તસવીરો ગાયબ થઈ ગઈ હતી. જો કે, તેમના લગ્નની એક તસવીર વાયરલ થઈ રહી છે જે અભિનેત્રીએ તેના પૂર્વ પતિના જન્મદિવસ પર પોસ્ટ કરી હતી. બે વર્ષ પછી ફરી આ તસવીરો જોઈને ચાહકો ખુશ થઈ ગયા અને અનુમાન લગાવી રહ્યા છે કે બંને વચ્ચે ફરી બધું બરાબર થઈ ગયું છે.
હવે સામંથાની આ પોસ્ટ પર ચાહકો સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું- 'સાચા પ્રેમને પાછા આવવાની આદત હોય છે'. જ્યારે બીજાએ લખ્યું, 'આ પોસ્ટ ફરી જોઈને આનંદ થયો'. જ્યારે એકે બંને વચ્ચે પેચ અપની શક્યતા વ્યક્ત કરી હતી અને લખ્યું હતું કે, 'લાગે છે કે બંને વચ્ચે ફરીથી બધું બરાબર થઈ રહ્યું છે.' જો કે, આ અંગે કપલ તરફથી હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી.
તમને જણાવી દઈએ કે છૂટાછેડા પછી, સામંથાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તેમના સંબંધો બેડ નોટ પર સમાપ્ત થઈ ગયા હતા. લગ્નના થોડા વર્ષો પછી ઝઘડા શરૂ થયા. આ ઝઘડા એટલા વધી ગયા કે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ. નાગા અને સામંથાના લગ્ન વર્ષ 2017માં થયા હતા. જો કે, ટૂંક સમયમાં તેમના સંબંધોમાં સમસ્યાઓ શરૂ થઈ.












Click it and Unblock the Notifications
