Pics : સંગ્રામના પગલે ‘સંગ્રામમુક્ત’ થઈ પાયલ!
મુંબઈ, 5 માર્ચ : મૉડેલમાંથી અભિનેત્રી બનનાર પાયલ રોહતગીના પગ આજકાલ જમીન ઉપર નથી. પોતાના પ્રેમી સંગ્રામ સિંહ તાજેતરમાં જ સગપણ કરનાર પાયલે જણાવ્યું કે તેમના મંગેતર સંગ્રામ સિંહ જ્યારથી તેમના જીવનમાં આવ્યાં છે, ત્યારથી તેમના જીવનમાં સ્થિરતા આવી ગઈ છે.
પાયલે જણાવ્યું - જ્યારથી હું સંગ્રામને મળી છું, ત્યારથી પોતાની અંદર બહુ શાંતિ અનુભવવા લાગી છું. હું ખુશ છું કે મને જીવનસાથી તરીકે એવો શખ્સ મળ્યો છે કે જે પોતાની વાતોનો પાક્કો છે. તે બહુ નમ્ર છે, બુદ્ધિશાળી અને કમાલના માણસ છે. પાયલ અને સંગ્રામ છેલ્લા ત્રણ વર્ષથી રિલેશનશિપમાં હતાં. બંને બિગ બૉસના સ્પર્ધક રહી ચુક્યાં છે.
પાયલ રોહતગી અને સંગ્રામ સિંહે ગત 27મી ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિના દિવસે અમદાવાદ ખાતે સગપણ કર્યાં. જુઓ તસવીરો :

સાદાઈથી સગપણ
પાયલે જણાવ્યું - સગપણ ખૂબ જ સાદી રીતે થયું. સંગ્રામ ખૂબ જ સીધા માણસ છે.

શિયાળામાં લગ્ન
પાયલ-સંગ્રામ શિયાળાની મોસમમાં લગ્ન કરવાનું ધારે છે. પાયલે જણાવ્યું કે નવેમ્બર કે ડિસેમ્બરમાં લગ્ન કરી લઇશું.

સંગ્રામ પ્રત્યે ખાત્રી
પાયલે જણાવ્યું - સંગ્રામ મારા માટે એકદમ યોગ્ય વ્યક્તિ છે. આ વાતને લઈને મને સમ્પૂર્ણ ખાત્રી છે.

જુદો સ્વભાવ છતાં...
પાયલને પૂછવામાં આવ્યું કે બે જુદા-જુદા સ્વભાવના હોવા છતાં કઈ રીતે સાથ નિભાવી શકશો?

ઈશ્વર સારૂં જ કરશે
પાયલે જણાવ્યું - મારૂં માનવું છે કે ઈશ્વર પાસે દરેક માટે ખાસ આયોજન હોય છે. મારા માટે ઈશ્વર તે જ કરશે કે જે સારૂં હશે.

બિગ બૉસની સામ્યતા
પાયલ-સંગ્રામ જુદા-જુદા સ્વભાવના હોવા છતાં બંને વચ્ચે એક સમાનતા એ છે કે બંને બિગ બૉસના સ્પર્ધક રહી ચુક્યાં છે. પાયલ સીઝન 2માં હતાં, તો સંગ્રામ સીઝન 7માં હતાં.












Click it and Unblock the Notifications
