કરીનાએ માતા ન બનવાની શરતને કારણે ગુમાવી રામ લીલા
મુંબઈ, 26 સપ્ટેમ્બર : અત્યાર સુધી સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ રામ લીલા અંગે ઘણા સમાચારો વહેતાં રહ્યાં છે. સૌપ્રથમ આ ફિલ્મમાં કરીના કપૂર મેન લીડ રોલમાં હતી, પરંતુ બાદમાં તેણે આ ફિલ્મ છોડી દીધી અને પછી દીપિકા પાદુકોણેને આ ફિલ્મ મળી ગઈ.

કરીના દ્વારા ફિલ્મ છોડવા અંગેના ઘણાં કારણો જણાવાયાં. પહેલા એમ જણાવાયું કે કારણ કે સંજય લીલા ભાનુશાળી નહોતા ઇચ્છતા કે કોઈ પરીણિત હીરોઇન તેમની ફિલ્મમાં કામ કરે અને તે જ વખતે કરીનાના લગ્ન લગભગ પાક્કા થઈ ચુક્યા હતાં. તેથી જ તેમણે કરીનાને પડતી મુકી.
પરંતુ કરીનાએ બાદમાં મીડિયા સમક્ષ જણાવ્યું કે તેને આ ફિલ્મમાંથી પડતી નથી મુકાઈ, પણ તેણે પોતે જ ફિલ્મ છોડી દીધી, કારણ કે તેની પાસે સમયનો અભાવ હતો.
જોકે હવે તાજેતરમાં જ એક નવી વાત સામે આવી છે. કહે છે કે કરીનાએ આ ફિલ્મ એટલા માટે છોડી કે સંજયે તેની સામે એક શરત મુકી હતી કે ફિલ્મના શુટિંગ દરમિયાન તેણે માતા બનવું નહિં. કરીનાને આ કૉન્ટ્રાક્ટ પસંદ ન પડ્યો અને તેણે આ કૉન્ટ્રાક્ટ સાઇન કરવાનો ઇનકાર કરી દીધો. આ જ કારણ હતું કે કરીનાએ સંજયની રામ લીલા છોડી દીધી.
નોંધનીય છે કે સંજય લીલા ભાનુશાળીની આવનાર ફિલ્મ રામ લીલામાં કરીના કપૂર જુલિયેટનું પાત્ર ભજવવાની હતી. પરંતુ બાદમાં કરીના ફિલ્મમાંથી નિકળી જતાં દીપિકા પાદુકોણેને આ ફિલ્મમાં લેવામાં આવ્યું.
હાલ દીપિકા અને રણવીર સિંહ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. સંજયની આ બહુ જ ખાસ ફિલ્મ છે અને કરીના પણ સંજય સાથે કામ કરવા માંગતી હતી. અહીં સુધી કે કરીનાએ સૈફ અલી ખાન સાથે પોતાના લગ્નની તારીખ પોસ્ટપોન્ડ કરવા સુધીની તૈયારી દાખવી હતી, પરંતુ આમ છતાં કરીનાની કિસ્મતે સાથ ન આપ્યો અને તે રામ લીલા ન કરીશકી.
હવે વિચારવાની વાત એ છે કે કરીનાએ માતા ન બનવાનો કૉન્ટ્રાક્ટ સાઇન કેમ ન કર્યો? ક્યાંક કરીના અત્યારથી જ તો ફેમિલી પ્લાનિંગ નથી કરી રહી ને? જોઇએ, શક્ય છે કે ટુંકમાં જ બધાને કરીના પણ કોઈ ગુડ ન્યુઝ આપી દે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી











Click it and Unblock the Notifications
