Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઘનચક્કરમાંથી સંજયનું સીન જ હટાવી દેતાં રાજકુમાર ગુપ્તા

મુંબઈ, 9 મે : ભલે સંજય દત્તને સુપ્રીમ કોર્ટે પાંચ વરસની સજા સંભળાવી હોય, પણ બૉલીવુડના લોકો તેમને પ્રેમ કરવાનું નથી છોડી રહ્યાં. એવાં જ એક ચાહનારા છે નિર્માતા-દિગ્દર્શક રાજકુમાર ગુપ્તા કે જેમની કૉમેડી ફિલ્મ ઘનચક્કર ચર્ચામાં છે.

ghanchakkar-sanjaydutt

ઘનચક્કર ફિલ્મમાં સંજય દત્તનો એક કૅમિયો રોલ હતો. સંજય દત્તે સજાના ચુકાદા બાદ સમયના અભાવે આ રોલ કરવાનો ઇનકાર કરી દીધો હતો. બીજી બાજુ રાજકુમાર ગુપ્તાએ આ સીન બીજા કોઈ પાસે કરાવવાના સ્થાને પોતાની ફિલ્મમાંથી આ સીન જ હટાવી દીધું.

રાજકુમાર ગુપ્તાએ જણાવ્યું - મારી ફિલ્મનું તે સીન સંજૂ બાબા માટે જ હતું. તેમનાથી બહેતર કોઈ બીજું તે રોલ નહિં જ કરી શકે. તેથી આ સીન જ ફિલ્મમાંથી હટાવી દેવાયું છે.

નોંધનીય છે કે ઘનચક્કર ફિલ્મમાં ઇમરાન હાશમી તથા વિદ્યા બાલન લીડ રોલમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X