For Quick Alerts
For Daily Alerts
ઘનચક્કરમાંથી સંજયનું સીન જ હટાવી દેતાં રાજકુમાર ગુપ્તા
મુંબઈ, 9 મે : ભલે સંજય દત્તને સુપ્રીમ કોર્ટે પાંચ વરસની સજા સંભળાવી હોય, પણ બૉલીવુડના લોકો તેમને પ્રેમ કરવાનું નથી છોડી રહ્યાં. એવાં જ એક ચાહનારા છે નિર્માતા-દિગ્દર્શક રાજકુમાર ગુપ્તા કે જેમની કૉમેડી ફિલ્મ ઘનચક્કર ચર્ચામાં છે.
ઘનચક્કર ફિલ્મમાં સંજય દત્તનો એક કૅમિયો રોલ હતો. સંજય દત્તે સજાના ચુકાદા બાદ સમયના અભાવે આ રોલ કરવાનો ઇનકાર કરી દીધો હતો. બીજી બાજુ રાજકુમાર ગુપ્તાએ આ સીન બીજા કોઈ પાસે કરાવવાના સ્થાને પોતાની ફિલ્મમાંથી આ સીન જ હટાવી દીધું.
રાજકુમાર ગુપ્તાએ જણાવ્યું - મારી ફિલ્મનું તે સીન સંજૂ બાબા માટે જ હતું. તેમનાથી બહેતર કોઈ બીજું તે રોલ નહિં જ કરી શકે. તેથી આ સીન જ ફિલ્મમાંથી હટાવી દેવાયું છે.
નોંધનીય છે કે ઘનચક્કર ફિલ્મમાં ઇમરાન હાશમી તથા વિદ્યા બાલન લીડ રોલમાં છે.
Comments
sanjay dutt ghanchakkar rajkumar gupta bollywood supreme court સંજય દત્ત ઘનચક્કર રાજકુમાર ગુપ્તા બૉલીવુડ સુપ્રીમ કોર્ટ
English summary
Sanjay Dutt was supposed to make a special appearance in "Ghanchakkar", but now director Raj Kumar Gupta has decided to drop the scene because he feels they can’t shoot it now.
Story first published: Thursday, May 9, 2013, 14:09 [IST]