Shah Rukh Khan Birthday: બાદશાહે ખોલ્યું હતું પોતાની એકલતાનું દર્દ, 'મારો કોઈ દોસ્ત નથી'
Shah Rukh Khan Birthday: બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાન આજે (નવેમ્બર 2, 2025) પોતાનો 60મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વર્ષ તેમના માટે બેવડી ખુશી લઈને આવ્યું છે, કારણ કે આ વર્ષે તેમને પ્રથમ વખત રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે. ઇન્ડસ્ટ્રીમાં કરણ જોહર, સલમાન ખાન અને રાની મુખર્જી સહિત અનેક મોટા કલાકારો સાથે તેમના સારા સંબંધો છે, તેમ છતાં શાહરૂખ ખાને થોડા વર્ષો પહેલા એક ઇન્ટરવ્યૂમાં પોતાના જીવનમાં રહેલી ઊંડી એકલતા (Loneliness) નું દર્દ વ્યક્ત કર્યું હતું.

શાહરૂખ ખાન તેની હાજરજવાબી, રોમેન્ટિક સ્ટાઇલ અને સ્ટારડમ માટે જાણીતા છે, પરંતુ તેમના વ્યક્તિત્વના ગંભીર પાસાઓ ભાગ્યે જ ચર્ચામાં આવે છે. કરણ જોહરના શો 'કોફી વિથ કરણ'માં તેમણે સ્ટારડમની ચમક છતાં પોતાના ખાલીપાની અને યુવાન વયે માતા-પિતાને ગુમાવ્યાની પીડા શેર કરી હતી.
"મને ક્યારેક લાગે છે કે મને મિત્રો બનાવતા નથી આવડતું"
શાહરૂખ ખાને આ શોમાં પોતાના એકલતાના અનુભવ વિશે સ્પષ્ટતા કરતા કહ્યું હતું.
"મારામાં ઘણી એકલતા છે. હું મારી જાત સાથે ખૂબ ખાલીપો અનુભવું છું. મને ક્યારેક એવું લાગે છે કે મને કદાચ દોસ્ત બનાવતા જ નથી આવડતું. જો બની જાય છે તો તેમને સાચવતા નથી આવડતું. અને જો કેટલાક મિત્રોને સાચવી પણ શકું છું, તો કદાચ તેઓ મારી સાથે રહેવા માંગતા નથી."
તેમણે આગળ જણાવ્યું હતું કે મેં ખૂબ નાની ઉંમરે મારા માતા-પિતાને ગુમાવી દીધા હતા. કદાચ આ ખાલીપાનો અહેસાસ મારી સાથે આજ સુધી ચાલી રહ્યો છે.
પરિવાર મારી સૌથી મોટી તાકાત
શાહરૂખે તે ઇન્ટરવ્યૂમાં એ પણ જણાવ્યું કે દિલ્હીમાં આજે પણ તેમના કેટલાક મિત્રો છે, જે સ્કૂલના સમયથી તેમની સાથે છે, પરંતુ તે તેમને 'સાચા' મિત્રો માનતા નથી, કારણ કે તેઓ તેમને 'દિલ્હીના છોકરા' તરીકે ઓળખે છે.
જોકે, શાહરૂખે હંમેશા સ્વીકાર્યું છે કે તેમના માટે તેમનો પરિવાર જ સૌથી મોટી તાકાત છે. ઇન્ડસ્ટ્રીમાં કરણ જોહર અને ફરાહ ખાન સાથેના તેમના સંબંધો પારિવારિક ગણાય છે. સલમાન ખાન સાથે પણ સંબંધોમાં ઉતાર-ચઢાવ આવ્યા બાદ હવે ફરી ગાઢ મિત્રતા બંધાઈ છે.
બોલિવૂડના આ 'બાદશાહ'ની સફળતાની પાછળ એકલતા અને ખાલીપાની આ સંવેદનશીલ બાજુ આજે તેમના 60મા જન્મદિવસ પર ચર્ચાનો વિષય બની છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?










Click it and Unblock the Notifications
