આ પાંચ ટ્વિટ્સ બાદ શાહરુખે છોડ્યું હતું ટ્વિટર!
બોલીવુડ અભિનેતા શાહરુખ ખાને ટ્વિટર છોડી દીધું તો હલચલ મચી ગઇ. જોકે હજી સુધી એસઆરકેએ ઔપચારિક રીતે તેનું ટ્વિટર એકાઉન્ટ બંધ કર્યું નથી. પરંતુ હા તેઓ તેનાથી દૂર થઇ ગયા છે. આના કારણે એસઆરકેના 4,038,062 ફોલોવર્સ ઉદાસ પણ થઇ ગયા છે, કારણકે તેમાંથી ઘણા લોકો પોતાના ફેવરિટ એક્ટરની પાસે રહેવા માંગે છે.
જોકે શાહરુખના નજીકના દોસ્ત મુસ્તાક શેખની માનીએ તો શાહરુખ હાલમાં પણ ટ્વિટર પર આવવા માગે છે પરંતુ ટેકનિકલી ખામીના કારણે તેઓ નથી આવી શકતા. કહેવામાં આવે છે કે શાહરુખનું ટ્વિટર પર એકાઉન્ટ ટેકનિકલી બરાબર નથી ચાલી રહ્યું. પરંતુ જો શાહરુખના તાજેતરના નિવેદન પર જઇએ તો લાગે છે કે કોઇ ટેકનીકલી ખામી નથી, આ માત્ર પોતાના ફેન્સથી દૂર રહેવાનો પેંતરો છે.
શાહરુખે હાલમાં જ કહ્યું હતું કે હવે તે કોઇ ટ્વિટ નહીં કરે. જોકે એક ટ્વિટરથી તેમના ફન્સ બેઝને કોઇ ખાસ ફરક નહીં પડે. કારણ કે ટીવીથી લઇને મોટા પરદા સુધી શાહરુખે જે પ્રકારની ભૂમિકા નિભાવી છે, તેઓ ક્યારેય નહીં ભૂલે. અને તેઓ લોકોને પોતાની તરફ આકર્ષી લે છે.
શાહરુખના છેલ્લા પાંચ ટ્વિટ
ખુદને પોતાની અંદરથી બહાર નિકાળો અને બાળપણના દોસ્તોની સાથે લઇ આવો...
શાહરુખના છેલ્લા પાંચ ટ્વિટ
હુંડ્ઈ માટે શુટિંગ કરી રહ્યો છું.... આનાથી મારો સૌથી જૂનો અને લાંબો સંબંધ છે, લગભગ 20 વર્ષોથી.
શાહરુખના છેલ્લા પાંચ ટ્વિટ
મારી ફરાહ ખાન કૂંદરની બર્થડે પાર્ટી ખૂબ જ સારી રહી...આપણે ખૂબ મસ્તી કરી... આપણે ખૂબ બધી ગેમ્સ રમી... સોરી ઓપોઝિશન વી લાઇક્ડ યૂ.
શાહરુખના છેલ્લા પાંચ ટ્વિટ
ડબ્બૂ રતનાનીના કેલેન્ડર લોંચથી આવ્યો છું, ત્યાં ઘણા બધા મીડિયાના સાથિયો અને મહેમાનોને મળ્યો.
શાહરુખના છેલ્લા પાંચ ટ્વિટ
આટલા બધા નિર્ણય વાંચીને દુ:ખ થાય છે, જે ઇન્ટરનેટ પર કટ્ટર રાષ્ટ્રવાદ, ધાર્મિક અસહિષ્ણુતા ફેલાવે છે અને હું વિચારું છું કે આ પ્લેટફોર્મ સંકીર્ણ માનસિકતા રાખનારઓને બદલી નાખશે, પરંતુ નહીં.