શુભ મંગલ જ્યાદા સાવધાન Vs ભૂતઃ બૉક્સ ઑફિસ પર ખુરાના અને કૌશલની ટક્કર
શુભ મંગલ જ્યાદા સાવધાન Vs ભૂતઃ બૉક્સ ઑફિસ પર ખુરાના અને કૌશલની ટક્કર
આ શુક્રવારે બે મોટી ફિલ્મ બૉક્સ ઑફિસ પર રિલીઝ થઈ રહી છે. આ વખતે આયુષ્માન ખુરાનાની શુભ મંગલ જ્યાદા સાવધાન અને વિક્કી કૌશલની ફિલ્મ ભૂત રિલીઝ થઈ રહી છે. બંને ફિલ્મો એકદમ અલગ વિષય પર આધારિત છે. પરંતુ આયુષ્માન ખુરાના અને વિક્કી કૌશલ બે એવા અભિનેતા છે જેની ફિલ્મ તેમના અભિનયના દમ પર ચાલે છે. તેમના ફેન્સ જાણે છે કે તેમની ફિલ્મ છે તો જરૂર કંઈક ખાસ હશે.
અગાઉ પણ કેટલીયવાર આયુષ્માન ખુરાના અને વિક્કી કૌશલની ફિલ્મ 100 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે અને રિવ્યૂ પણ શાનદાર આવે છે. બંને અભિનેતાઓની ફિલ્મ તેમના દમ પર ચાલે છે.
બંનેના કલેક્શન પર અસર પડશે
ઉલ્લેખનીય છે કે મોટા બે સ્ટાર્સની ફિલ્મ જ્યારે પડદા પર એક સાથે રિલીઝ થાય છે તો ફેન્સ માટે પણ ફિલ્મની પસંદગી કરવી થોડી મુશ્કેલ થઈ જાય છે. એવામાં બીજાની ફિલ્મની કમાણી પર જરૂર અસર પડે છે.
શુભ મંગલ જ્યાદા સાવધાન જોવાનું ફેન્સને વધુ પસંદ
આયુષ્માન ખુરાનાની ફિલ્મ શુભ મંગલ જ્યાદા સાવધાન ફિલ્મ ફેન્સ એટલા માટે પસં કરશે કેમ કે પહેલાવાળી ફિલ્મ પણ ઘણી શાનદાર હતી. માટે તેને લઈ ફેન્સ થોડા નિશ્ચિંત છે કે તેમને કેવા ટાઈપનું મનોરંજન મળનાર છે. જ્યારે ફિલ્મમાં બે છોકરાઓની પ્રેમ કહાની પણ ફેન્સને સિનેમાઘરમાં ખેંચી જવામાં રામબાળ સાબિત થઈ શકે છે.
ભૂતમાં ફેન્સ ચિલચસ્પી કેમ લેશે
વિક્કી કૌશલ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ બની ગયું છે જેને હવે ફેન્સ પસંદ કરે છે. અને તેમની ફિલ્મ જોવી યોગ્ય સમજે છે. આ નામ પર ફેન્સ વિશ્વાસ કરી પૈસા ખર્ચ કરવા યોગ્ય સમજે છે. ઉરી બાદ તેમણે પોતાના કરિયરમાં નવી દિશા આપી. ભૂત એક સાચી કહાનીની આસપાસ પણ છે. જેનાથી ફેન્સ ઈમ્પ્રેસ પણ થઈ શકે છે. પહેલીવાર વિક્કી કૌશલ હોરર ફિલ્મમાં જોવા મળશે.
માહોલ
ફેન્સ વચ્ચે આ બંને ફિલ્મોમાંથી કઈ કઈ ફિલ્મ વધુ લોકપ્રિય રહી છે તે અંગે વાત કરીએ તો શુભ મંગલ જ્યાદા સાવધાન લાગી રહી છે. એવું એટલા માટે કહી શકાય કેમ કે સોશિયલ મીડિયાથી લઈ યૂટ્યૂબ સુધી આયુષ્માન ખુરાનાનું પલડું વધુ ભારે જોવા મળી રહ્યું છે.
બૉક્સ ઑફિસ કલેક્શન પ્રીડિક્શન
શુભ મંગલ જ્યાદા સાવધાન ફિલ્મને લઈ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે પહેલા દિવસે આયુષ્માન ખુરાનાની ફિલ્મ 7-8 કરોડની કમાણી કરી શકે છે. જ્યારે વિક્કી કૌશલ અને ભૂમિ પેડનેકરની ફિલ્મ ભૂત 3 કરોડની આસપાસ કમાણી કરી શકે છે.
પદ્મ શ્રી ભાવના સોમૈયાની વાર્તા પરથી બન્યુ ગુજરાતી નાટક 'રિમઝિમ વરસે જિંદગી'