સિદ્ધાર્થ-કિયારાના રિસેપ્શનમાં દેખાયા અનંત અંબાણી અને શ્લોકા મહેતા, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના રિસેપ્શનમાં અનંત અંબાણી અને શ્લોકા મહેતાએ હાજરી આપી હતી. સિમ્પલ લુક પર બંનેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યા હતા.
Sidharth-Kiara Reception: બૉલિવુડના નવ દંપત્તિ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ 12 ફેબ્રુઆરીના રોજ ગ્રાંડ વેડિંગ રિસેપ્શન પાર્ટી આપી. જેમાં બૉલિવુડના મોટા સ્ટાર્સ સામેલ થયા. આ ખાસ પ્રસંગે કિયારાની બાળપણની મિત્ર ઈશા અંબાણી તો ના દેખાઈ પરંતુ તેના ભાઈ અનંત અંબાણી અને ભાભી શ્લોકા મહેતાએ આ પાર્ટીમાં ભાગ લીધો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સિદ્ધાર્થ-કિયારાના રિસેપ્શનમાં અનંત અને શ્લોકા અંબાણી
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના વેડિંગ રિસેપ્શનમાં બધાની નજર અંબાણી પરિવાર પર હતી. આ વેડિંગ રિસેપ્શનમાં અનંત અંબાણી પત્ની શ્લોકા મહેતા સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન બંને ખૂબ જ સિમ્પલ લુકમાં જોવા મળ્યા હતા. અનંત અંબાણી સુટમાં ડેશિંગ દેખાતા હતા, જ્યારે શ્લોકા મહેતાએ સાદી જ્વેલરી સાથે સાદી બ્લેક સાડી પહેરી હતી.
બંને દેખાયા એકદમ સિમ્પલ લુકમાં
આ કપલના પ્રવેશ માટે ખૂબ જ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મીડિયાની સામે બંને અંદર પ્રવેશતી વખતે એકબીજાનો હાથ પકડીને જોવા મળ્યા હતા. આ સાથે તેણે પાપારાઝીની સામે ઘણા બધા પોઝ આપ્યા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જો કે આ દરમિયાન બધાની નજર તેના સિમ્પલ લુક પર ટકેલી હતી.

ફેન્સે આપ્યુ રિએક્શન
અનંત અંબાણી અને શ્લોકાની એન્ટ્રી બાદ આ વીડિયો પર ફેન્સની સતત પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યુ કે, 'અંબાણી પરિવાર પાસે ભલે ઘણા પૈસા હોય પરંતુ તેમની ફેશન સેન્સ ખૂબ જ ખરાબ છે'. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, 'લાગે છે કે શ્લોકા ફરી માતા બનવા જઈ રહી છે, પરંતુ તેમની જોડી પરફેક્ટ છે'. સાથે જ કેટલાક યુઝર્સે તેના સિમ્પલ લુકની પણ પ્રશંસા કરી હતી.

રિસેપ્શનમાં બૉલિવુડ સ્ટાર્સનો જમાવડો
તમને જણાવી દઈએ કે મુંબઈમાં સિદ્ધાર્થ અને કિયારાના વેડિંગ રિસેપ્શનમાં બૉલિવુડના ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. જેમાં આલિયા ભટ્ટ, વિકી કૌશલ, કેટરીના કૈફ, શિલ્પા શેટ્ટી, કરીના કપૂર જેવા મોટા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ વેડિંગ રિસેપ્શનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યા છે.

જેસલમેરમાં કર્યા હતા લગ્ન
7 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લીધા. જેમાં અભિનેત્રીની ખાસ મિત્ર ઈશા અંબાણી અને તેના પતિ આનંદ પીરામલ ઉચ્ચ સુરક્ષા સાથે પહોંચ્યા હતા. લગ્ન બાદ સિડ અને કિયારા દિલ્લી જવા રવાના થયા હતા જ્યાં કપલનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. હાલ સોશિયલ મીડિયા પર બંનેના લગ્નની તસવીરો સામે આવી રહી છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
