સોનાક્ષી સિન્હાના લગ્ન પર 'મામા'નો ચોંકાવનારો ખુલાસો, શું દીકરીએ પપ્પા શત્રુઘ્ન સિન્હાને નથી મોકલ્યુ કાર્ડ?
Sonakshi Sinha-Zaheer Iqbal: બૉલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. અહેવાલ છે કે સોનાક્ષી સિન્હા તેના બૉયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે 23 જૂન 2024ના રોજ લગ્ન કરવા જઈ રહી છે. જો કે આખો સિંહા પરિવાર લગ્નની બાબતમાં મૌન સેવતો જોવા મળી રહ્યો છે.
અભિનેત્રીના પિતા શત્રુઘ્ન સિંહા અને ભાઈ લવ સિંહા સાથે સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નને લઈને વાતચીત થઈ ચૂકી છે. જોકે બંનેએ સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ આ લગ્ન વિશે કંઈ જાણતા નથી. જ્યારે સોનાક્ષી કે ઝહીર ઈકબાલે હજુ સુધી તેમના લગ્ન અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

બીજી તરફ હવે સોનાક્ષી સિન્હાના મામા અને નિર્માતા પહલાજ નિહલાનીએ આ લગ્ન પર ખુશી વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે બૉલિવુડના પ્રખ્યાત નિર્માતા પહલાજ નિહલાની 1977થી શત્રુઘ્ન સિંહા સાથે મિત્રતા ધરાવે છે અને સોનાક્ષી તેમને મામા કહીને બોલાવે છે.
અહેવાલ છે કે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ 23 જૂન 2024ના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન બાદ એ જ સાંજે મુંબઈના બાસ્ટિયનમાં એક ભવ્ય રિસેપ્શન પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ લગ્ન અંગે ટાઈમ્સ નાઉ સાથે વાત કરતા પહલાજ નિહલાનીએ કહ્યું કે તે આ લગ્નથી ખૂબ જ ખુશ છે. આ પહેલા હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી પૂનમ ઢિલ્લોને પણ કહ્યું હતું કે સોનાક્ષીએ તેને તેના લગ્ન માટે એક સુંદર કાર્ડ મોકલ્યું છે.
પહલાજ નિહલાનીએ સોનાક્ષી સિંહા અને તેના બૉયફ્રેન્ડ ઝહીર ઈકબાલને તેમના લગ્ન માટે શુભેચ્છા પાઠવી છે. તેણે કહ્યું- હું સોનાક્ષીનો મામા છું. મારા આશીર્વાદ સોનાક્ષી અને ઝહીર સાથે છે. આખરે બંને લગ્ન કરી રહ્યા છે. હું તેને શુભેચ્છા પાઠવું છું. બંને ખૂબ ખુશ રહે.
જ્યારે પહલાજ નિહલાનીને પૂછવામાં આવ્યું કે શું તેમને સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્ન વિશે ખબર છે, તો તેમણે કહ્યું- આજકાલ બાળકો પોતાના નિર્ણય જાતે લે છે, તેથી માતા-પિતા ખુશ હોવા જોઈએ. દંપતીએ લગ્ન જીવન જીવવાનુ છે અને આ મુખ્ય વસ્તુ છે. તેઓએ એકબીજાને પ્રેમ કરવો જોઈએ અને એકબીજા સાથે સહજ રહેવુ જોઈએ.
જ્યારે સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિન્હાએ તેમની પુત્રીના લગ્નના સમાચારને નકારી કાઢ્યા કે ન તો પુષ્ટિ આપી. તેમણે કહ્યું હતું- જ્યારે સોનાક્ષી લગ્ન કરશે ત્યારે હું ખુશ થઈશ. અભિનેતાએ કહ્યું હતું કે સોનાક્ષી જેને પણ પસંદ કરશે, આખો પરિવાર તેને સપોર્ટ કરશે. જોકે, આજના બાળકોને તેમના માતા-પિતાની વાત સાંભળવી ગમતી નથી.
પહલાજ નિહલાનીના નિવેદન બાદ ફરી એક વખત અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સિન્હા પરિવાર કદાચ સોનાક્ષીના લગ્નથી ખુશ નથી. તે જ સમયે, સોનાક્ષીના ભાઈ લવના નિવેદનથી લોકોને આશ્ચર્ય થયું હતું. તમને જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષથી સોનાક્ષી તેના બૉયફ્રેન્ડ ઝહીર સાથે મુંબઈના એક આલીશાન એપાર્ટમેન્ટમાં રહે છે. આવી સ્થિતિમાં, શક્ય છે કે સોનાક્ષીએ પોતે તેના પરિવારને તેના લગ્ન વિશે જણાવ્યું ન હોય.
ઘણા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સિન્હા પરિવારને સોનાક્ષીના મુસ્લિમ બૉયફ્રેન્ડ સાથે સમસ્યા છે. આ જ કારણ હોઈ શકે છે કે સિંહા પરિવાર આ લગ્નમાં હાજરી આપવા માંગતો નથી. અગાઉ સોનાક્ષીના એક નજીકના મિત્રએ ખુલાસો કર્યો હતો કે અભિનેત્રીએ તેના બૉયફ્રેન્ડ સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે અને હવે તે બંને ફક્ત લગ્નની રિસેપ્શન પાર્ટીનું આયોજન કરી રહ્યા છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
