આર્યન ખાનની જામીન અરજી પર સ્પેશિયલ NDPS કોર્ટમાં 13 ઓક્ટોબરે થશે સુનાવણી
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાને હજુ થોડા દિવસ માટે આર્થર રોડ જેલમાં જ રહેવુ પડશે.
મુંબઈઃ ડ્રગ્ઝ કેસમાં અરેસ્ટ કરવામાં આવેલ બૉલિવુડ સ્ટાર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને હજુ થોડા દિવસ માટે આર્થર રોડ જેલમાં જ રહેવુ પડશે. આનુ કારણ એ છે કે મુંબઈમાં નાર્કોટિક્સ ડ્રગ્ઝ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટન્સ(એનડીપીએસ) અધિનિયમ હેઠળ એક વિશેષ અદાલતે સોમવારે કહ્યુ કે તેમની જામીન અરજી પર સુનાવણી 13 ઓક્ટોબરે થશે. વિશેષ અદાલતે કહ્યુ કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(એનસીબી)ના વકીલે ક્રૂઝ શિપ ડ્રગ્ઝ પાર્ટી બસ્ટના સંબંધમાં જવાબ દાખલ કરવા માટે સાત દિવસની માંગ બાદ આર્યન ખાનની જામીન અરજી પર બુધવારે સુનાવણી કરવામાં આવશે. જો કે, વિશેષ ન્યાયાધીશ વીવી પાટિલે મામલાને બુધવાર સુધી માટે સ્થગિત કરી દીધી.
એક દિવસ પહેલા ગોવા જનાર ક્રૂઝ શિપ પર એક રેવ પાર્ટીમાં એજન્સીની ટીમમાં રેડ બાદ આર્યન ખાનને એનસીબીએ 3 ઓક્ટોબરે અરેસ્ટ કર્યા હતા. આર્યન ખાનની જામીન અરજી પર વિશેશ એનડીપીએસ કોર્ટમાં સુનાવણી પહેલા તેમના વકીલે આગલા પગલાં વિશે વાત કરી. આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ કહ્યુ, 'આ સ્વાભાવિક છે કે જો અદાલતે જામની અરજી કરી દીધી તો આપણે ઉચ્ચ ન્યાયાલયમાં જશે. અમે અહીં જામીન અરજી દાખલ કરી છે. સુનાવણી આજે થવાની સંભાવના છે.'
તમને જણાવી દઈએ કે મુંબઈની એક લોકલ કોર્ટે ગયા શુક્રવારે 23 વર્ષીય આર્યન ખાન અને બે અન્યને જામીન આપવાનો ઈનકાર કરી દીધો અને અધિક મુખ્ય મેટ્રોપૉલિટન મેજિસ્ટ્રેટ(એસીએમએમ) આરએમ નેર્લિકરે કેસની તપાસ પેન્ડીંગ રહેવા સુધી ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમેચાને બે સપ્તાબ માટે જેલ મોકલી દીધા. તેના પર એમડીપીએસ અધિનિયમની વિવિધ જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. નેર્લિકરે શનિવારે જાહેર કરેલ પોતાના 15 પેજના આદેશમાં કહ્યુ કે એક મેજિસ્ટ્રેટની અદાલત પાસે એનડીપીએસ અધિનિયમ હેઠળ ત્રણ વર્ષથી વધુની નિર્ધારિત સજાવાળા ગુના માટે જામીન આવેદન પર વિચાર કરવાનુ અધિકાર ક્ષેત્ર નથી અને આને એક વિશેષ અદાલત દ્વારા રજૂ કરવાનુ છે.