રવિશંકરના સ્થાને પોતાનો ફોટો જોઈ ચોંકી ઉઠ્યાં શ્રી શ્રી
મુંબઈ, 15 ડિસેમ્બર : ગત બુધવારે ભારત સહિત દુનિયા આખીમાં શોકની લહેર દોડી ગઈ હતી. સમાચાર હતાં સિતાર સમ્રાટ શ્રી રવિશંકરનું નિધન. તેમણે 92 વર્ષની વયે ન્યુયૉર્ક ખાતે છેલ્લા શ્વાસ લીધા. તેમના નિધનના સમાચાર અમેરિકામાં પણ ન્યુઝ ચૅનલોમાં હૅડલાઇન્સ બન્યાં, પરંતુ ત્યાંના કેટલાંક મીડિયાકર્મીઓએ રવિશંકરના સ્થાને શ્રી શ્રી રવિશંકરનો ફોટો લગાડી દીધો.

આર્ટ ઑફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરે જ્યારે પોતે પોતાના ફોટા નીચે પોતાના નિધનના સમાચાર જોયાં, તો તેઓ ચોંકી ઉઠ્યાં. તેમણે તરત ટ્વિટ કર્યું કે કેટલીક ન્યુઝ ચૅનલોએ તો મને જ મારી નાંખ્યાં, પરંતુ હું આપને જણાવી દઉં કે હું જીવું છું.
શ્રી શ્રી રવિશંકરના ટ્વિટ પર હોબાળો મચી ગયો. ન્યુઝ ચૅનલોમાં ખળભળાટ મચી ગયો. તેમણે તરત સમાચાર સાથે લાગેલ શ્રી શ્રી રવિશંકરનો ફોટો ખસેડી લીધો. જોકે ત્યાં સુધી ખૂબ મોડુ થઈ ચુક્યુ હતું અને ચૅનલોનો સારો એવો તમાશો બની ચુક્યો હતો. આ વાત કહેવા માટે કાફી છે કે કેટલાંક મીડિયા સંસ્થાઓ આગળ વધવાની સ્પર્ધામાં સમાચારની સત્યતાની તપાસતી નથી.
નોંધનીય છે કે પંડિત રવિશંકરનું ગત બુધવારે અમેરિકામાં અવસાન થયુ હતું, પરંતુ અમેરિકી મીડિયાની કેટલીક ન્યુઝ ચૅનલોએ ભાંગરો વાટતાં પોતે શ્રી શ્રી રવિશંકર ચોંકી ઉઠ્યાં અને તેમણે પોતે જીવતા હોવા અંગે ટ્વિટ કરવું પડ્યું.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
