OMG : સન્ની લિયોને કહ્યું - ટૉપ નહીં ઉતારૂં, તો પછી આ શું છે?
મુંબઈ, 14 માર્ચ : એડલ્ટ ફિલ્મો સાથે બૉલીવુડમાં પગ મૂકનાર અભિનેત્રી સન્ની લિયોનનું કહેવું છે કે તેઓ તે જ કરે છે કે જે દિગ્દર્શક કહે છે. જ્યારે તેઓ નવા-નવા આવ્યા હતાં, ત્યારે તેમને જે કહેવામાં આવતું, તેઓ તે કરી નાંખતા. કોઈ કહેતું કે ટૉપ ઉતારી દો, તો કોઈ તેમને ઇંટીમેટ સીન્સમાં પ્રાણ ફૂંકવા માટે અને વધુમાં વધુ હૉટ દેખાવા માટે કહતું.
અનેક વખત તો સન્નીને પોતે જ ખબર નહોતી રહેતી કે તેઓ શું કરી રહ્યા છે અને દર્શકો તેને કયા સેન્સમાં લેશે, કારણ કે સન્નીને બૉલીવુડ અંગે કોઈ માહિતી નહોતી, કોઈ આઇડિયા નહોતો અને નહોતી તેમની હિન્દી સમજાતી. તે વખતે તેઓ પોતાની સ્ક્રિપ્ટમાં લખેલી લાઇન્સ સુદ્ધા નહોતા સમજી શકતાં. જિસ્મ 2 ફિલ્મમાં તેમની સાથે કંઈક આવુ જ થયુ હતું, પરંતુ રાગિણી એમએમએસ 2 દરમિયાન સન્ની લિયોને એવા કોઈ પણ સીન કરવાનો ઇનકાર કરી દીધો કે જે તેઓ નહોતા કરવા માંગતાં.
સન્ની લિયોને તાજેતરમાં એક ઇંટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે તેમણે રાગિણી એમએમએસ 2 ફિલ્મમાં ટૉપલેસ સીન કરવાનો ઇનકાર કરી દીધો હતો, કારણ કે તેઓ પોતાની આ જૂની ઇમેજમાંથી બહાર આવવા માંગે છે. તેઓ નથી ઇચ્છતાં કે લોકો તેમને કાયમ પોર્ન સ્ટારની યાદીમાં જ મૂકો.
પરંતુ... પરંતુ... ચાલો જોઇએ સન્નીની સૂફિયાણી વાતો અને વિરોધાભાસી તસવીરોથી ઊભા થયેલા સવાલો :
અહીં સુધી બરાબર છે....
સન્ની લિયોને જે પ્રકારની સૂફિયાણી વાતો કરી છે, તે જોતાં રાગિણી એમએણએસ 2 ફિલ્મની આ તસવીર થોડાક અંશે બરાબર છે... પણ...
સન્નીની સૂફિયાણી વાતો... તો આ શું છે?
સન્ની લિયોનની સૂફિયાણી વાતો કરતાં રાગિણી એમએમએસ 2ની તસવીરો કંઈક બીજું જ કહે છે.
સન્નીની સ્પષ્ટતા... તો આ શું છે?
એકતા કપૂર નિર્મિત રાગિણી એમએમએસ 2 ફિલ્મમાં સન્ની લિયોનની અત્યાર સુધીની હૉટ અને સેક્સી તસવીરોમાં વધુ કેટલીક તસવીરોનો ઉમેરો થયો છે કે જે સન્નીની આ સ્પષ્ટતા કરતા તદ્દન વિરુદ્ધ છે.
ટૉપલેસ-ઇંટીમેટ નહીં... તો આ શું છે?
જો સન્નીએ રાગિણી એમએમએસ 2માં ટૉપલેસ કે ઇંટીમેટ સીન્સ આપવાનો ઇનકાર જ કર્યો હોય, તો પછી આ તસવીરો જોઈ સવાલ ઊભો થાય છે કે સન્ની લિયોનના મતે ટૉપલેસ અને ઇંટીમેટ સીન્સ કેવાં હોય છે?
ન્યુડ સીન્સનો ઇનકાર... તો આ શું છે?
સન્ની લિયોને ઇંટરવ્યૂ સવાલ પૂછવામાં આવ્યું - શું તમે રાગિણી એમએમએસ 2 દરમિયાન કેટલાક ન્યુડ સીન્સ કરવાનો ઇનકાર કર્યો હતો?
ત્યારે ખબર નહોતી પડતી... તો આ શું છે?
જવાબમાં સન્નીએ જણાવ્યું - જ્યારે હું નવી-નવી આવી હતી, ત્યારે મને જે કહેવામાં આવતું, તે હું કરી નાંખતી. અનેક વખત મને ખબર પણ નહોતી રહેતી કે હું શું કરી રહી છું.
હવે સમજદારીપૂર્વક કામ કરુ છું... તો આ શું છે?
સન્નીએ જણાવ્યું - પરંતુ હવે હું બહુ સમજી-વિચારીને કામ કરુ છું. તેથી અનેક વખત ઇનકાર કરી દઉ છું.
એકતા સાથે તકરાર નહીં... તો આ શું છે?
જોકે સન્ની લિયોને એ બાબતનો ઇનકાર કર્યો કે આવા સીન્સ અંગે એકતા કપૂર અને તેમની વચ્ચે કોઈ દલીલ કે તકરાર થઈ હતી.
એકતા કપૂર બહુ સારાં છે... તો આ શું છે?
સન્ની લિયોને જણાવ્યું - એકતા કપૂર ખૂબ જ સારાં છે અને તેમની સાથે કોઈ પણ પ્રકારનો ઝગડો ન થયો.
મેં ધાર્યું તેમ કર્યું... તો આ શું છે?
સન્ની કહે છે - જે પણ સીન તેમને નહોતા કરવાં, તે કરવાનો તેમણે ઇનકાર કરી દીધો, પણ ક્યારેય આ અંગે મારી કોઈની સાથે તકરાર ન થઈ.