સુશાંત સિંહ કેસઃ સુબ્રમણ્યમ સ્વામીએ ત્રણે ખાનને પૂછ્યા સવાલ, કહ્યુ - આમની સંપત્તિની તપાસ કરો
સુશાંત સિંહ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંતને ન્યાય અપાવવા માટે માંગ શરૂ કરી.
બૉલિવુડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત 14 જૂને પોતાના બાંદ્રા સ્થિત ઘરમાં મૃત મળી આવ્યા હતા. સુશાંત પાસે કોઈ સુસાઈડ નોટ ન મળી જેના કારણે તેમના મોતનુ અસલી કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. સુશાંતના મોતને એક મહિનો થવાનો છે પરંતુ હજુ પણ આ કેસમાં કોઈ મહત્વની માહિતી સામે આવી નથી. ટેલીવિઝન અને બૉલિવુડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા બધા લોકો સાથે સાથે સુશાંતના ફેન્સ પણ સતત સોશિયલ મીડિયા દ્વારા સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંતને ન્યાય અપાવવા માટે માંગ શરૂ કરી.

ત્રણે ખાનને પૂછ્યા સવાલ
સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને બૉલિવુડના ત્રણે ખાન પર નિશાન સાધ્યુ છે. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને કહ્યુ, 'શું બૉલિવુડના ત્રણે બાહુબલી સલમાન ખાન, શાહરુખ ખાન અને આમિર કાન સુશાંત સિંહની કથિત સુસાઈડ પર શાંત છે?' એક અન્ય ટ્વિટમાં તેમણે કહ્યુ, 'આ ત્રણે બાહુબલી ખાનોની ભારત અને વિદેશોમાં ખાસ કરીને દૂબઈમાં બનાવવામાં આવેલી સંપત્તની તપાસ થવી જોઈએ. કોણે આમને બંગલા અને સંપત્તિ ભેટમાં આપ્યા છે? આ લોકોએ કેવી રીતે તે ખરીદ્યા? આની તપાસ ઈડી, આઈટી અને સીબીઆઈએ કરવી જોઈએ. શું આ કાયદાથી પરે છે?'તમને જણાવી દઈએ કે સુબ્રમણ્યમ સ્વામી સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય રહે છે. તે આ કેસમાં સતત ટ્વિટ કરીને પોતાની વાત રાખી રહ્યા છે.

સુબ્રમણ્ય સ્વામીએ વકીલ નિયુક્ત કર્યા
આ પહેલા સુબ્રમણ્યમ સ્વામીએ આ કેસમાં ટ્વિટ કરીને માહિતી આપી હતી કે તેમણે સીબીઆઈની તપાસ માટે વકીલ નિયુક્ત કર્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ, 'મે ઈશકરણને સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યા કેસમાં સંભવિત સીબીઆઈ તપાસ કે પીઆઈએલ કે ગુનાહિત ફરિયાદ માટે પ્રક્રિયા શરૂ કરવા માટે કહ્યુ છે.' તેમણે અન્ય ટ્વિટમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે ઈશકરણ સિંહ ભંડારી કેસની સંભવિત સીબીઆઈ તપાસ કે પીઆઈએલ માટે બધો ડેટા એકત્ર કરશે.

ઈશકરણ આપી રહ્યા છે માહિતી
સુબ્રમણ્યમ સ્વામીના આ પગલાંની લોકો ઘણી પ્રશંસા કરી રહ્યા છે. આ દરમિયાન #CBIForSonOfBihar ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યુ. સુશાંતના ફેન્સ તેમના માટે ન્યાય અપાવવા ઘણા સમયથી માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત વકીલ ઈશકરણ સિંહ ન્યાય ભંડારી પણ કેસ સાથે જોડાયેલી દરેક પ્રક્રિયાની માહિતી લોકોને આપી રહ્યા છે. આ વિશે તેમણે સુબ્રમણ્યમ સ્વામી સાથે એક લાઈવ વીડિયો પણ કર્યો છે. સાથે જ લોકોનુ મંતવ્ય પણ સાંભળી રહ્યા છે.
Are the three musketeers of Bollywood Salman Khan, Sharukh Khan and Aamir Khan silent on so called suicide of Sushant Rajput ?
— Subramanian Swamy (@Swamy39) July 10, 2020
The assets created by these 3 Khan Musketeers in India and abroad especially in Dubai need to be investigated . Who gifted them bunglows and properties there and how they bought it and the cartelisation needs to be investigated by SIT of ED , IT and CBI. Are they above the law?
— Subramanian Swamy (@Swamy39) July 11, 2020
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
