સુશાંત સિંહ રાજપૂત મોત મામલે સલમાન ખાન, કરણ જોહર સહિત 8 ફિલ્મી હસ્તીઓને રાહત
બિહારના મુઝફ્ફરપુરની એક અદાલતે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતનુ ષડયંત્ર રચવાના આરોપમાં સલમાન ખાન સહિત 8 ફિલ્મી હસ્તીઓ સામેની ડઝનેક રિવિઝન સૂટ ફગાવી દીધી છે.
પટનાઃ બિહારના મુઝફ્ફરપુરની એક અદાલતે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતનુ ષડયંત્ર રચવાના આરોપમાં સલમાન ખાન સહિત 8 ફિલ્મી હસ્તીઓ સામેની ડઝનેક રિવિઝન સૂટ ફગાવી દીધી છે. વકીલ સુધીર ઓઝાએ અભિનેતા સલમાન ખાન, ફિલ્મકાર સંજય લીલા ભણશાળી, કરણ જોહર, એકતા કપૂર, આદિત્ય ચોપડા, ભૂષણ કુમાર, દિનેશ વિજયન અને સાજિદ નડિયાદવાલાને સુશાંત સિંહને મારવાના ષડયંત્ર રચવાના આરોપી ગણાવીને અરજી આપી હતી જેને ગુરુવારે મુઝફ્ફરપુર એડીજે પ્રથમ રાકેશ માલવીયએ ફગાવી દીધી.

એકતા કપૂરના વકીલે આપી માહિતી
સુધીર ઓઝાએ સીજેએમ કોર્ટના પરિવાદને ફગાવી દેવાયા બાદ પુનરીક્ષણ વાદ દાખલ કર્યુ હતુ જેને પણ કોર્ટે ફગાવી દીધુ. એકતા કપૂરના વકીલ પ્રિયરંજન ઉર્ફે અન્નુએ કહ્યુ કે પાયાવિહોણા આરોપોના આધારે પરિવાદ નોંધવામાં આવ્યો હતો જેને અદાલતે ફગાવી દીધુ. જો કે આમ પણ આ કેસ મુઝફ્ફરપુરના ક્ષેત્રાધિકારની બહારનો છે.

ફરિયાદકર્તાએ કહ્યુ - હાઈકોર્ટ જઈશુ
ફરિયાદકર્તા સુધીર કુમાર ઓઝાએ કહ્યુ કે તે હવે આ કેસ લઈને હાઈકોર્ટ જશે. તમને જણાવી દઈએ કે મુઝફ્ફરપુરના વકીલ સુધીર કુમાર ઓઝાએ પોતાની અરજીમાં કરણ જોહર, સંજય લીલા ભણશાળી, સલમાન ખાન, એકતા કપૂર સહિત આઠ લોકો પર આરોપ લગાવ્યો છે કે આ લોકોએ એક ષડયંત્ર હેઠળ સુશાંત સિંહને આત્મહત્યા માટે મજબૂર કર્યો. સુધીરે બધા આરોપીઓ સામે આઈપીસીની કલમ 306, 109, 504 અને 506 હેઠળ કેસ નોંધાવવાની માંગ અરજીમાં કરી હતી.

ગયા વર્ષે થઈ ગયુ હતુ સુશાંત સિંહનુ મોત
મૂળ બિહારનો રહેવાસી અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ગયા વર્ષે જૂનમાં મુંબઈ સ્થિત પોતાના ફ્લેટમાં મૃત મળ્યા હતા. તેમના મોત બાદ મુંબઈ પોલિસે જોયુ હતુ કે તેમણે આત્મહત્યા કરી છે. બાદમાં સીબીઆઈને કેસ ટ્રાન્સફર થયો અને સીબીઆઈએ પણ પોતાની 10 મહિનાની તપાસમાં આવા કોઈ પાસાંનો ઈનકાર કર્યો છે જેમાં સુશાંતની હત્યાની વાત કહેવામાં આવી હોય. જો કે અમુક મીડિયા રિપોર્ટ અને અમુક ફિલ્મી સ્ટાર્સ સતત એ દાવો કરતા રહ્યા છે કે સુશાંતની હત્યા કરવામાં આવી અથવા તેમને આત્મહત્યા માટે મજબૂર કરવામાં આવ્યા.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
