Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સુશાંત સિંહ રાજપુત કેસમાં હવે નવો ખુલાસો, બહેન શ્વેતા સિંહે કરી મોટી વાત, ઇન્ટરનેટ પર હંગામો

કૂપર હોસ્પિટલના શબગૃહના કર્મચારી રૂપકુમાર શાહે દાવો કર્યો હતો કે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી નથી, પરંતુ તેની હત્યા કરવામાં આવી છે ત્યારથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે.

કૂપર હોસ્પિટલના શબગૃહના કર્મચારી રૂપકુમાર શાહે દાવો કર્યો હતો કે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી નથી, પરંતુ તેની હત્યા કરવામાં આવી છે ત્યારથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. લોકોએ આ કેસની ફરીથી તપાસ કરવાની વાત શરૂ કરી દીધી છે. હવે સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તમને જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ પોતાના ફ્લેટમાં પંખા પર લટકતો મળી આવ્યો હતો. ત્યારબાદ શ્વેતાએ ભાઈ સુશાંતને ન્યાય અપાવવા માટે લાંબી લડાઈ લડી. આ લડાઈ હજુ પણ ચાલુ છે. હવે મોર્ચ્યુરી કર્મચારી રૂપકુમાર શાહના દાવા બાદ ફરી એકવાર સુશાંત સિંહ રાજપૂતના મોતનો મામલો ગરમાયો છે.

શ્વેતા સિંહે લગાવી ગુહાર

શ્વેતા સિંહે લગાવી ગુહાર

તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પર રૂપકુમાર શાહને સુરક્ષા આપવા માટે અપીલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ તેમના ટ્વીટમાં ટેગ કરવામાં આવ્યા છે. શ્વેતા સિંહ કીર્તિએ ટ્વિટર પર લખ્યું - જો આ પુરાવામાં એક ટકા પણ સત્ય છે, તો અમે સીબીઆઈને આ મામલાને ગંભીરતાથી જોવાની વિનંતી કરીએ છીએ. અમે હંમેશા માનીએ છીએ કે તમે આ મામલાની નિષ્પક્ષ તપાસ કરશો અને સત્ય શું છે તે બહાર લાવશો. હજી સુધી અમને આ કેસમાં બંધ જોવા મળ્યું નથી અને આ જોઈને અમારા હૃદયને દુઃખ થાય છે.

ટ્વીટર પર લખી આ વાત

ટ્વીટર પર લખી આ વાત

દિવંગત અભિનેતાની બહેન શ્વેતા સિંહ કીર્તિએ અન્ય એક ટ્વિટમાં કૂપર હોસ્પિટલના શબગૃહ સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે. આ ટ્વીટમાં તેણે લખ્યું છે- આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે રૂપકુમાર શાહની સુરક્ષા ચોક્કસપણે કરવામાં આવશે. શ્વેતાના આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ રૂપકુમાર શાહની સુરક્ષાની માંગ કરી રહ્યા છે. સુશાંતની બીજી બહેન પ્રિયંકાએ પણ આ મામલે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.

રૂપકુમાર શાહે કહ્યું- સુંશાંતની હત્યા થઇ હતી

કૂપર હોસ્પિટલના શબગૃહના કર્મચારી રૂપકુમાર શાહે ANI સાથે વાતચીતમાં જણાવ્યું - હું 14-15 જૂનના રોજ ફરજ પર હતો જ્યારે સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલના શબઘરમાં લાવવામાં આવ્યો હતો. સુશાંતનો મૃતદેહ જોઈને મેં મારા સિનિયર્સને કહ્યું હતું કે આ આત્મહત્યા નથી પરંતુ હત્યા છે. સુશાંતના શરીર પર ઈજાના ઘણા નિશાન હતા. રૂપકુમાર શાહના જણાવ્યા મુજબ, તેમના વરિષ્ઠોએ તેમની વાતને અવગણીને તેમને ઝડપથી મૃતદેહના ફોટા લેવા અને પોલીસને આપવાનું કહ્યું હતુ.

મોર્ચરીના કર્મચારીઓએ કર્યો હત્યાનો દાવો

પોતાના નિવેદનમાં રૂપકુમાર શાહે કહ્યું- જ્યારે મેં સુશાંતનો મૃતદેહ જોયો ત્યારે મને સમજાયું કે આ હત્યા છે. હું ઘણા વર્ષોથી આ બધું કામ કરું છું. અત્યાર સુધી મેં 50 થી 60 હજાર મૃતદેહો જોયા છે. સુશાંતની ગરદન, હાથ અને પગ પર વિચિત્ર નિશાન હતા. ગરદન પરનું નિશાન લટકાવવાનું ન હતું, પરંતુ ખેંચીને ઘસવામાં આવ્યું હતું, જાણે કોઈ મૃત્યુ વખતે તડપ્યુ હોય.

સુશાંતના વકીલે સીબીઆઇ તપાસની કરી માંગ

સુશાંતના વકીલે સીબીઆઇ તપાસની કરી માંગ

બીજી તરફ, ETimes સાથેની વાતચીતમાં, દિવંગત અભિનેતા સુશાંત સિંહ રતપુતના વકીલ વિકાસ સિંહે આ મામલે કહ્યું છે કે - હું આ મામલે અત્યારે વધારે કહી શકું તેમ નથી. પરંતુ મારે કહેવું જોઈએ કે સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ કોઈ સાદી આત્મહત્યા નહોતી. તેની પાછળ મોટું ષડયંત્ર હતું. આ મોત પાછળનું કાવતરું સીબીઆઈ જ બહાર લાવી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X