સુશાંત સિંહ રાજપુત: FIR પછી રિયા ચક્રવર્તીએ તોડી ચુપ્પી, કહ્યું - સચ્ચાઇની થશે જીત
સુશાંત આત્મહત્યા કેસને દોઢ મહિનાનો સમય થઈ ગયો છે, પરંતુ હજી સુધી મુંબઈ પોલીસ કોઈ નક્કર પરિણામ પર પહોંચી શકી નથી. આ કેસમાં નવો વળાંક મંગળવારે ત્યારે આવ્યો જ્યારે સુશાંતના પિતા કે.કે.સિંહે પટણામાં રિયા
સુશાંત આત્મહત્યા કેસને દોઢ મહિનાનો સમય થઈ ગયો છે, પરંતુ હજી સુધી મુંબઈ પોલીસ કોઈ નક્કર પરિણામ પર પહોંચી શકી નથી. આ કેસમાં નવો વળાંક મંગળવારે ત્યારે આવ્યો જ્યારે સુશાંતના પિતા કે.કે.સિંહે પટણામાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી છે. આ એફઆઈઆરમાં રિયા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. હવે ચાર દિવસ બાદ અભિનેત્રી રિયાએ આ મામલે મૌન તોડ્યું છે.
રિયાએ તેના વકીલ સતીષ માનેશિંદે દ્વારા પોતાનું નિવેદન જાહેર કર્યું છે. રિયાએ કહ્યું કે 'મને ભગવાન અને ન્યાયતંત્રમાં અવિરત વિશ્વાસ છે. હું માનું છું કે મને ન્યાય મળશે. ભલે મીડિયામાં મારા વિશે ઘણી ભયંકર વાતો કહેવાઈ રહી છે, પરંતુ તે તેના વકીલની સલાહ પર આ કેસમાં ટિપ્પણી કરવાનું ટાળી રહી છે. રિયાએ કહ્યું, સત્યમેવ જયતે, સત્યનો વિજય થશે.
#WATCH: Rhea Chakraborty releases video on #SushantSinghRajputDeathCase.
— ANI (@ANI) July 31, 2020
She says, "I've immense faith in God & the judiciary. I believe that I'll get justice...Satyameva Jayate. The truth shall prevail." pic.twitter.com/Fq1pNM5uaP
આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા કેસમાં ઇડીએ નોંધ્યો કેસ, સુશીલ મોદીએ કહી આ વાત