Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સુશાંત માટે બહેન શ્વેતાએ કરી ન્યાયની માંગ, કહ્યુ - જો સત્યનુ મહત્વ નથી તો કંઈ પણ...

સુશાંત સિંહ રાજપૂતની અમેરિકામાં રહેતી બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના ભાઈ માટે ન્યાયની માંગ કરી છે.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં મુંબઈ પોલિસ હજુ પણ તપાસ કરી રહી છે. આ કેસમાં મહેશ ભટ્ટ, આદિત્ય ચોપડા સહિત 40થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી ચૂકી છે. હવે સુશાંતના પિતા કે કે સિંહે પટનામાં રાજીવ નગર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે અભિનેત્રી રિયા ચક્રવર્તી, તેના પરિવાર અને ઘણા અન્ય લોકો સામે સુશાંતને સુસાઈડ માટે ઉકસાવવા અને છેતરપિંડી કરવાનો કેસ નોંધાવ્યો છે. સાથે જ બિહાર પોલિસની એક ટીમ પણ મુંબઈ ગઈ છે.

બહેન શ્વેતાએ કરી ન્યાયની માંગ

બહેન શ્વેતાએ કરી ન્યાયની માંગ

સુશાંત સિંહ રાજપૂતની અમેરિકામાં રહેતી બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના ભાઈ માટે ન્યાયની માંગ કરી છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યુ છે, 'જો સત્યનુ મહત્વ નથી તો કંઈ પણ મહત્વ નહિ ધરાવે.' આ સાથેજ તેણે હેશટેગ સાથે જસ્ટીસ ફૉર સુશાંત સિંહ રાજપૂત લખ્યુ છે. આ પહેલા તેણે એક યુઝરના સવાલનો જવાબ આપીને કહ્યુ હતુ કે તે મુંબઈ પોલિસની તપાસ ખતમ થવા અને તેનો રિપોર્ટ આવ્યા બાદ સીબીઆઈ તપાસની માંગ કરી શકે છે.

સુશાંત વિશે ભાવુક પોસ્ટ કરે છે શ્વેતા

સુશાંત વિશે ભાવુક પોસ્ટ કરે છે શ્વેતા

વાસ્તવમાં સુશાંતની બહેન શ્વેતા પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર સુશાંત વિશે ભાવુક પોસ્ટ ઘણી વાર કરતી રહે છે. જેની કમેન્ટ્સમાં પણ લોકો તેને સવાલ પૂછે છે કે પરિવાર કેમ સીબીઆઈ તપાસની માંગ નથી કરી રહ્યા. શ્વેતાએ હાલમાં જ સુશાંત વિશે એક પોસ્ટ કરી જેની કમેન્ટ્સમાં એક વ્યક્તિએ તેને પૂછ્યુ કે શ્વેતા તમે અને તમારો પરિવાર કેમ સીબીઆઈ તપાસની માંગ નથી કરી રહ્યા. જ્યારે આખો દેશ સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યો છે. આ યુઝરે કહ્યુ કે માત્ર ફેન્સ જ માંગ કરી રહ્યા છે માટે સરકાર વધુ કંઈ નથી કરી રહી પરંતુ એવા ઘણા પુરાવા છે જેનાથી સાબિત થાય છે કે સુશાંતનુ મોત ષડયંત્ર હેઠળ થયુ છે.

પરિવારે સીબીઆઈ તપાસની માંગ કેમ નથી કરી?

આના જવાબમાં સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ કહ્યુ, 'અમે મુંબઈ પોલિસની તપાસ ખતમ થવા અને રિપોર્ટ્સ આવવાની રાહ જોઈ રહ્યા છે.' શ્વેતાના આ જવાબ બાદથી લોકો કહી રહ્યા છે કે આ રીતની ભાવુક પોસ્ટ કરવાથી કંઈ નહિ થાય. સુશાંત હવે જઈ ચૂક્યા છે અને સીબીઆઈ તપાસમાં ઘણુ મોડુ થઈ રહ્યુ છે. માટે પરિવારે આગળ આવવુ જોઈએ કારણકે સુશાંતના ફેન્સ માત્ર સામાન્ય જનતા જ છે. ત્યારબાદથી જ પરિવાર તરફથી ફરિયાદ નોંધાવાની માહિતી સામે આવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X