સુશાંત માટે બહેન શ્વેતાએ કરી ન્યાયની માંગ, કહ્યુ - જો સત્યનુ મહત્વ નથી તો કંઈ પણ...
સુશાંત સિંહ રાજપૂતની અમેરિકામાં રહેતી બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના ભાઈ માટે ન્યાયની માંગ કરી છે.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં મુંબઈ પોલિસ હજુ પણ તપાસ કરી રહી છે. આ કેસમાં મહેશ ભટ્ટ, આદિત્ય ચોપડા સહિત 40થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી ચૂકી છે. હવે સુશાંતના પિતા કે કે સિંહે પટનામાં રાજીવ નગર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે અભિનેત્રી રિયા ચક્રવર્તી, તેના પરિવાર અને ઘણા અન્ય લોકો સામે સુશાંતને સુસાઈડ માટે ઉકસાવવા અને છેતરપિંડી કરવાનો કેસ નોંધાવ્યો છે. સાથે જ બિહાર પોલિસની એક ટીમ પણ મુંબઈ ગઈ છે.

બહેન શ્વેતાએ કરી ન્યાયની માંગ
સુશાંત સિંહ રાજપૂતની અમેરિકામાં રહેતી બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના ભાઈ માટે ન્યાયની માંગ કરી છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યુ છે, 'જો સત્યનુ મહત્વ નથી તો કંઈ પણ મહત્વ નહિ ધરાવે.' આ સાથેજ તેણે હેશટેગ સાથે જસ્ટીસ ફૉર સુશાંત સિંહ રાજપૂત લખ્યુ છે. આ પહેલા તેણે એક યુઝરના સવાલનો જવાબ આપીને કહ્યુ હતુ કે તે મુંબઈ પોલિસની તપાસ ખતમ થવા અને તેનો રિપોર્ટ આવ્યા બાદ સીબીઆઈ તપાસની માંગ કરી શકે છે.

સુશાંત વિશે ભાવુક પોસ્ટ કરે છે શ્વેતા
વાસ્તવમાં સુશાંતની બહેન શ્વેતા પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર સુશાંત વિશે ભાવુક પોસ્ટ ઘણી વાર કરતી રહે છે. જેની કમેન્ટ્સમાં પણ લોકો તેને સવાલ પૂછે છે કે પરિવાર કેમ સીબીઆઈ તપાસની માંગ નથી કરી રહ્યા. શ્વેતાએ હાલમાં જ સુશાંત વિશે એક પોસ્ટ કરી જેની કમેન્ટ્સમાં એક વ્યક્તિએ તેને પૂછ્યુ કે શ્વેતા તમે અને તમારો પરિવાર કેમ સીબીઆઈ તપાસની માંગ નથી કરી રહ્યા. જ્યારે આખો દેશ સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યો છે. આ યુઝરે કહ્યુ કે માત્ર ફેન્સ જ માંગ કરી રહ્યા છે માટે સરકાર વધુ કંઈ નથી કરી રહી પરંતુ એવા ઘણા પુરાવા છે જેનાથી સાબિત થાય છે કે સુશાંતનુ મોત ષડયંત્ર હેઠળ થયુ છે.
|
પરિવારે સીબીઆઈ તપાસની માંગ કેમ નથી કરી?
આના જવાબમાં સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ કહ્યુ, 'અમે મુંબઈ પોલિસની તપાસ ખતમ થવા અને રિપોર્ટ્સ આવવાની રાહ જોઈ રહ્યા છે.' શ્વેતાના આ જવાબ બાદથી લોકો કહી રહ્યા છે કે આ રીતની ભાવુક પોસ્ટ કરવાથી કંઈ નહિ થાય. સુશાંત હવે જઈ ચૂક્યા છે અને સીબીઆઈ તપાસમાં ઘણુ મોડુ થઈ રહ્યુ છે. માટે પરિવારે આગળ આવવુ જોઈએ કારણકે સુશાંતના ફેન્સ માત્ર સામાન્ય જનતા જ છે. ત્યારબાદથી જ પરિવાર તરફથી ફરિયાદ નોંધાવાની માહિતી સામે આવી છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
